Rajkot અગ્નિકાંડ મામલે લેવાશે કડક પગલા! SITના અધ્યક્ષે કહ્યું જવાબદારોને નહીં છોડાય.. સાંભળો હર્ષ સંઘવી સાથે મળેલી બેઠકમાં શેની થઈ ચર્ચા?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-29 14:00:59

રાજકોટમાં શનિવારે બનેલી દુર્ઘટનામાં 27 જેટલા લોકોના મોત થઈ ગયા છે. અનેક પરિવારોને મૃતદેહો મળી ગયા છે પરંતુ અનેક પરિવારોને મૃતદેહ મળ્યા નથી. આ ઘટના કેવી રીતે બની તેની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે.. એસઆઈટીના અધ્યક્ષ સુભાષ ત્રિવેદી છે. રાજકોટ અગ્નિકાંડ મામલે આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરવામાં આવી હતી. જેમાં આ મામલે આગળ શું કાર્યવાહી કરાશે તે અંગે ચર્ચા થઈ. સુભાષ ત્રિવેદીએ કહ્યું કે આઈએએસ, આઈપીએસની પૂછપરછ કરવામાં આવશે. 

દુર્ઘટનાને લઈ તપાસ કરશે એસઆઈટી

રાજ્યમાં અનેક એવી ગોઝારી દુર્ઘટનાઓ સર્જાઈ છે જેને કારણે અનેક લોકોના મોત થયા છે. દુર્ઘટનાઓમાંથી આપણે શીખતા નથી જેને કારણે બીજી વખત પણ દુર્ઘટના સર્જાય છે.. જ્યારે કોઈ દુર્ઘટના થાય છે ત્યારે તે દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તેની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવે છે.. રાજકોટમાં બનેલી દુર્ઘટના બાદ એસઆઈટીની રચના કરવામાં આવી.. આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે એસઆઈટીના સભ્યોની બેઠક હતી.



બેઠકમાં કોણ કોણ હતું હાજર?

બેઠકમાં SIT વડા સુભાષ ત્રિવેદી, ટેકનિકલ એજ્યુકેશન કમિશનર બંછાનિધી પાની, FSLના ડાયરેક્ટર એચ.પી.સંઘવી, ચીફ ફાયર ઓફિસર જે.એન.ખડિયા, માર્ગ અને મકાન વિભાગના સુપરિટેન્ડિંગ એન્જિનિયર હાજર હતા તેવી માહિતી સામે આવી છે.  લગભગ દોઢ કલાક જેટલી ચાલેલી બેઠક બાદ આગળનો એક્શન પ્લાન એસઆઈટીના અધ્યક્ષ દ્વારા જણાવવામાં આવ્યો હતો. 


શું કહ્યું એસઆઈટીના અધ્યક્ષે? 

મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે રાજકોટ અગ્નિકાંડ મામલે હવે તમામ IAS, IPS અધિકારીઓની  પૂછપરછ કરવામા આવશે. કલેક્ટર, મનપા કમિશનરોની પણ  પૂછપરછ થશે. 2021થી 2024 દરમિયાનના સેવા બજાવનાર તમામ પોલીસ કમિશનરોની પણ  પૂછપરછ થશે. એવું કહેવામાં આવ્યું કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, કોઈને છોડવામાં નહીં આવે ત્યારે જોવું રહ્યું કે આ મામલે એસઆઈટી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તેની પર સૌ કોઈની નજર રહેશે.  



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.