AMCનો સપાટો, ત્રણ મહિનામાં 8121 રખડતા ઢોર પકડ્યા, 922 પશુમાલિકોને નોટિસ


  • Published By :
  • Published Date : 2023-11-30 20:52:34

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને  રખડતાં ઢોરના ત્રાસમાંથી લોકોને મુક્ત કરાવવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી છે.  મ્યુનિસિપલ કોર્પોરેશને 22 ટીમો બનાવી 1 સપ્ટેમ્બરથી સઘન ઝુંબેશ હાથ ધરીને ત્રણ મહિનામાં 8121 પશુઓ પકડ્યા છે.  તેમજ 209 પશુ માલિકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.  33 જેટલી ઘર્ષણ અને હુમલાની ફરિયાદો નોંધાવાઈ છે. આજે મનપાની ઢોર પકડ ટીમ દ્વારા 76 ઢોર પકડવામાં આવ્યા છે. ગત ત્રણ મહિનામાં 28 હજાર કિલો ઘાસચારો જપ્ત કરીને 12 જેટલા ઘાસચારાના વેચાણની ફરિયાદો દાખલ કરવામાં આવી છે. પશુમાલિકોને 922 જેટલી નોટિસ ઇસ્યૂ કરવામાં આવી છે. 


પરમીટ મેળવવા માટે 1070 અરજી મળી 

 

અમદાવાદમાં પશુઓ રાખવાનું લાયસન્સ / પરમીટ મેળવવા માટે સમગ્ર શહેરમાંથી કુલ 1070 જેટલી અરજી આવેલ જે પૈકી 123 જેટલા લાયસન્સ / પરમીટ ઇસ્યુ કરાયેલ છે તથા 309 જેટલી અરજીઓ પુરાવાના અભાવે રદ કરવામાં આવેલ છે.પશુ રજીસ્ટ્રેશન માટે કુલ 1148 અરજી મળેલ તથા 7742 જેટલા પશુઓનું રજીસ્ટ્રેશન આ સમયગાળામાં થયેલ છે. શહેરનાં 7 ઝોનના વિવિધ વિસ્તારોમાં પશુપાલકોએ રખડતાં મૂકલા પશુઓ પકડવામાં આવ્યા છે.


આ વર્ષે 13958 જેટલા પશુઓ પકડાયા


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝોન / વોર્ડ / વિવિધ વિસ્તારોમાં ટીમો દ્વારા શહેરમાં ત્રણ શીફટમાં કામગીરીઓ કરી ચાલુ માસમાં 2340 થી વધારે પશુઓ પકડવાની, તથા ચાલુ વર્ષમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 13958 જેટલા પશુઓ પકડવામાં આવેલ તથા 460 પશુમાલિકો સામે ફરિયાદ દાખલ કરી વિવિધ કાયદેસરની કાર્યવાહીઓ પણ કરવામાં આવી છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!