ગુજરાતમાં ખૂંખાર બનતા રખડતાં શ્વાન! છેલ્લા ત્રણ વર્ષમાં આટલા લાખ લોકો બન્યા રખડતા શ્વાનનો શિકાર, જાણો ગુજરાત કયા ક્રમે આવ્યું?


  • Published By :
  • Published Date : 2023-08-13 16:49:00

રાજ્યમાં રખડતાં શ્વાનનો આતંક પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં લોકો રખડતાં શ્વાન અથવા તો રખડતાં ઢોરને કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોય છે અથવા તો મોતને ભેટતા હોય છે. ત્યારે લોકસભામાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીએ એક આંકડો રજૂ કર્યો હતો જેમાં દેશભરમાં શ્વાન હુમલાના કેટલા કિસ્સાઓ બન્યા છે. જ્યારે આ પ્રશ્નના જવાબમાં એ આંકડો સામે આવ્યો છે તે ચોંકાવી દે તેવો છે. કારણ કે આ આંકડો લાખોમાં નોંધાયો છે. 

dog bite crisis gujarat, ભારતમાં રખડતા કૂતરાનો ત્રાસ વધવાનું કારણ શું? વસતિ  ઓછી કરવાના પ્રયાસો કેમ રહ્યા નિષ્ફળ - how long will the terror of stray  dogs last in india which aspects

ગુજરાતે પાંચમા ક્રમે મેળવ્યું સ્થાન 

છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન એટલે કે વર્ષ 2020થી 2023 સુધીમાં ગુજરાતમાં કુલ 7.93 લાખ લોકો રખડતાં શ્વાનના હુમલાનો શિકાર બન્યા છે. 2022ની વાત કરીએ તો 1.69 લાખ લોકોને કૂતરા કરડ્યા હતા. શ્વાન એટેકમાં ગુજરાતના સ્થાનની વાત કરીએ તો આપણું રાજ્ય પાંચમા સ્થાને આવે. સૌથી પહેલા જે રાજ્યોમાં કૂતરા કરડવાની વાત કરીએ તો તે રાજ્યોમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક તેમજ બિહારનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં એક વર્ષમાં એટલે કે 2022માં નોંધાયેલા શ્વાન કરડવાના કિસ્સાઓની વાત કરીએ તો 3.90 લાખ  લોકોને શ્વાને પોતાનો શિકાર બનાવ્યા છે. બીજા ક્રમ પર આવે છે તમિલનાડુ ત્યાં 3.64 લાખ લોકો રખડતાં શ્વાનના હુમલાનો શિકાર બન્યા છે. ઉત્તર પ્રદેશમાં રહેતા 1.91 લાખ લોકોને રખડતાં શ્વાનનો ભોગ બનવું પડ્યું હતું. આંધ્રપ્રદેશના આંકડાની વાત કરીએ તો 1.89 લાખ લોકો શિકાર બન્યા છે અને આ રાજ્ય ચોથા ક્રમે નોંધાયું છે. જ્યારે ગુજરાત પાંચમા ક્રમે આવ્યુંછે.   

  

અનેક વખત અકસ્માતનું કારણ બનતા હોય છે રખડતાં શ્વાન 

મહત્વનું છે પ્રતિદિન રખડતા શ્વાન અથવા તો પશુ દ્વારા કરવામાં આવતા હુમલાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અનેક લોકોના મોત પણ રખડતાં શ્વાન તથા રખડતા ઢોરને કારણે થયા છે. અમદાવાદ શહેરમાં પણ આતંક જોવા મળી રહ્યો છે. દર થોડા દિવસે એવા સમાચાર સામે આવતા હોય છે જેમાં અકસ્માત રખડતાં ઢોર અથવા શ્વાનને કારણે થયા હોય. અનેક વખત હાઈકોર્ટ દ્વારા આ મામલે ટકોર કરવામાં આવી છે પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં હોય તેવું લાગે છે. એક તરફ ખરાબ રસ્તાથી લોકો પરેશાન તો બીજી તરફ રખડતાં શ્વાનના હુમલાનો ડર. લોકો જાય તો જાય ક્યા?  




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!