ગુજરાતમાં ખૂંખાર બનતા રખડતાં શ્વાન! છેલ્લા ત્રણ વર્ષમાં આટલા લાખ લોકો બન્યા રખડતા શ્વાનનો શિકાર, જાણો ગુજરાત કયા ક્રમે આવ્યું?


  • Published By :
  • Published Date : 2023-08-13 16:49:00

રાજ્યમાં રખડતાં શ્વાનનો આતંક પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં લોકો રખડતાં શ્વાન અથવા તો રખડતાં ઢોરને કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોય છે અથવા તો મોતને ભેટતા હોય છે. ત્યારે લોકસભામાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીએ એક આંકડો રજૂ કર્યો હતો જેમાં દેશભરમાં શ્વાન હુમલાના કેટલા કિસ્સાઓ બન્યા છે. જ્યારે આ પ્રશ્નના જવાબમાં એ આંકડો સામે આવ્યો છે તે ચોંકાવી દે તેવો છે. કારણ કે આ આંકડો લાખોમાં નોંધાયો છે. 

dog bite crisis gujarat, ભારતમાં રખડતા કૂતરાનો ત્રાસ વધવાનું કારણ શું? વસતિ  ઓછી કરવાના પ્રયાસો કેમ રહ્યા નિષ્ફળ - how long will the terror of stray  dogs last in india which aspects

ગુજરાતે પાંચમા ક્રમે મેળવ્યું સ્થાન 

છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન એટલે કે વર્ષ 2020થી 2023 સુધીમાં ગુજરાતમાં કુલ 7.93 લાખ લોકો રખડતાં શ્વાનના હુમલાનો શિકાર બન્યા છે. 2022ની વાત કરીએ તો 1.69 લાખ લોકોને કૂતરા કરડ્યા હતા. શ્વાન એટેકમાં ગુજરાતના સ્થાનની વાત કરીએ તો આપણું રાજ્ય પાંચમા સ્થાને આવે. સૌથી પહેલા જે રાજ્યોમાં કૂતરા કરડવાની વાત કરીએ તો તે રાજ્યોમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક તેમજ બિહારનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં એક વર્ષમાં એટલે કે 2022માં નોંધાયેલા શ્વાન કરડવાના કિસ્સાઓની વાત કરીએ તો 3.90 લાખ  લોકોને શ્વાને પોતાનો શિકાર બનાવ્યા છે. બીજા ક્રમ પર આવે છે તમિલનાડુ ત્યાં 3.64 લાખ લોકો રખડતાં શ્વાનના હુમલાનો શિકાર બન્યા છે. ઉત્તર પ્રદેશમાં રહેતા 1.91 લાખ લોકોને રખડતાં શ્વાનનો ભોગ બનવું પડ્યું હતું. આંધ્રપ્રદેશના આંકડાની વાત કરીએ તો 1.89 લાખ લોકો શિકાર બન્યા છે અને આ રાજ્ય ચોથા ક્રમે નોંધાયું છે. જ્યારે ગુજરાત પાંચમા ક્રમે આવ્યુંછે.   

  

અનેક વખત અકસ્માતનું કારણ બનતા હોય છે રખડતાં શ્વાન 

મહત્વનું છે પ્રતિદિન રખડતા શ્વાન અથવા તો પશુ દ્વારા કરવામાં આવતા હુમલાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અનેક લોકોના મોત પણ રખડતાં શ્વાન તથા રખડતા ઢોરને કારણે થયા છે. અમદાવાદ શહેરમાં પણ આતંક જોવા મળી રહ્યો છે. દર થોડા દિવસે એવા સમાચાર સામે આવતા હોય છે જેમાં અકસ્માત રખડતાં ઢોર અથવા શ્વાનને કારણે થયા હોય. અનેક વખત હાઈકોર્ટ દ્વારા આ મામલે ટકોર કરવામાં આવી છે પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં હોય તેવું લાગે છે. એક તરફ ખરાબ રસ્તાથી લોકો પરેશાન તો બીજી તરફ રખડતાં શ્વાનના હુમલાનો ડર. લોકો જાય તો જાય ક્યા?  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.