Ahmedabadમાં રખડતા શ્વાન બની મોટી સમસ્યા, પ્રતિદિન આટલા લોકો બને છે હુમલાનો શિકાર! આંકડો વાંચી તમે ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-10-23 10:53:34

રખડતા ઢોર અને રખડતા શ્વાનના આતંકના સમાચારો સતત જોવા મળતા હોય છે. એક તરફ બિસ્માર રસ્તાને કારણે તો બીજી તરફ રખડતા ઢોરના આતંકને કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે અમદાવાદ માટે એક રિપોર્ટ બહાર આવ્યો છે જેમાં ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 સુધી કેટલા કેસ રખડતા શ્વાન કરડવાના નોંધાયા છે તે જણાવવામાં આવ્યું છે. જે રિપોર્ટ સામે આવ્યો છે તે અમદાવાદ સિવિલનો છે. એક જ વર્ષ દરમિયાન અમદાવાદ સિવિલમાં 8400થી વધુ દર્દીઓને સારવાર અપાઈ છે જ્યારે સોલા સિવિલમાં 8000થી વધારે દર્દીઓએ સારવાર લીધી છે. અનુમાન અનુસાર આ સમયગાળાની અંદર અંદાજીત 55600થી વધુ લોકોને કૂતરા કરડ્યા છે. 


વર્ષ 2022 દરમિયાન 55 હજારથી વધુ લોકોને કૂતરા કરડ્યા! 

રસ્તા પર ચાલતા લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ખરાબ રસ્તો, રસ્તા પર જોવા મળતા ઢોર વગેરે વગેરે.. અનેક વખત રખડતા પશુના હુમલાને કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં અનેક લોકોએ પોતાનો જીવ રખડતા ઢોરના કારણે તેમજ રખડતા શ્વાનના હુમલાને કારણે ગુમાવ્યા છે. અમદાવાદ જેવા વિકસીત શહેરમાં પણ રખડતા શ્વાનનો આતંક જોવા મળે છે. એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં એક વર્ષના સમયગાળાની અંદર 55000થી વધુ લોકો રખડતા શ્વાનના હુમલાનો શિકાર બન્યા છે. મહત્વનું છે કે ગુજરાતમાં વર્ષ 2022 દરમિયાન 1.44 લાખ કેસ નોંધાયા હતા જેમાંથી અનેક લોકોના મોત પણ થઈ ગયા છે. 


ક્યારે કેટલા કેસ નોંધાયા?

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓક્ટોબર 2022માં 754 લોકોએ, નવેમ્બર 2022માં 865 લોકો, ડિસેમ્બર 2022માં 1095 લોકોએ સારવાર લીધી છે. જાન્યુઆરી 2023માં 1040 લોકોએ, ફેબ્રુઆરી  2023માં 982 લોકોએ, 985 લોકોએ માર્ચ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી છે. એપ્રિલ 2023માં 1043 લોકોએ, મે 2023માં 990, જૂન 2023માં 870 લોકોએ સારવાર લીધી છે. જુલાઈ 2023માં 855 લોકોએ, ઓગસ્ટમાં 770 જ્યારે સપ્ટેમ્બરમાં 895 કેસ કૂતરા કરડવાના નોંધાયા છે. 55,600 લોકને કૂતરા કરડ્યા છે તેવો આંકડો સામે આવ્યો છે. આંકડા પ્રમાણે જોવા જઈએ તો રોજ દોઢસો લોકો આ રખડતા શ્વાનના હુમલાનો શિકાર બને છે. આ આંકડા ચિંતાજનક છે.   


નાના બાળકો પર શ્વાન વધારે કરે છે હુમલા!

મહત્વનું છે કે વહેલી સવારે તેમજ મોડી રાત્રે વાહનો પાછળ કૂતરા દોડતા હોય છે. કૂતરો પાછળ ભાગવાથી વાહનલચાલકો વાહનની સ્પીડ વધારી દે છે. સ્પીડ વધારવાને કારણે અકસ્માત થવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. પોળમાં, સોસાયટીઓમાં બાળકો જ્યારે રમતા હોય છે તે વખતે રખડતા શ્વાન તેમની પર હુમલો કરે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જેટલા પણ કેસો નોંધાય છે તેમાં બાળકો પર હુમલાના વધારે કેસ હોય છે. 14 વર્ષથી નાના બાળકો પર હુમલો શ્વાન કરે છે. 




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!