Stray Dog : રિલાયન્સના ડિરેક્ટરે પણ જવાબદારોને સંબોધીને લખ્યું કે રખડતા શ્વાનને લઈ એક્શન લેવા જોઈએ


  • Published By :
  • Published Date : 2023-10-26 17:39:37

વડીલને ઘરની બહાર નિકળવું હોય તો તેમને બે વખત વિચાર કરવો પડે છે. રખડતા શ્વાન તેમજ રખડતા ઢોર અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી વાત તો, તેવી રજૂઆત અનેક વખત જમાવટ દ્વારા કરવામાં આવી છે. ત્યારે રખડતા શ્વાન વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વાત રિલાયન્સ ડિરેક્ટરે તેમજ સાંસદ પરિમલ નથવાણીએ પણ કરી દીધી છે. પરિમલ નથવાણીએ એક ટ્વિટ કર્યું છે જેમાં તેમણે લખ્યું છે કે ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 12.50 લાખ જેટલા લોકોને કૂતરા કરડ્યા છે. આમાંથી 9 લોકો બિઝનેસમેન હતા અને તેમણે જીવ ગુમાવ્યો છે તે લિસ્ટમાં પરાગ દેસાઈ પણ સામેલ છે. 

Image


રખડતા શ્વાનને કારણે ગયો હતો પરાગ દેસાઈનો જીવ 

રાજ્યમાં રખડતા શ્વાન તેમજ રખડતા ઢોરનો આતંક જોવા મળે છે. પ્રતિદિન કોઈ વ્યક્તિ પર શ્વાન હુમલો કરે છે તેવા સમાચાર આવતા હોય છે. રખડતા ઢોર પણ અનિંયત્રિત થઈ લોકો પર હુમલો કરે છે. હુમલા થવાને કારણે લોકોના મોત પણ થાય છે. તાજેતરમાં જ ઉદાહરણ છે વાઘબકરી ચાના ડિરેક્ટરનું. પરાગ દેસાઈ વોક પર નિકળ્યા હતા તે વખતે તેમની પર રખડતા શ્વાને હુમલો કર્યો. બચાવ માટે તેઓ ભાગ્યા પરંતુ દોડતી વખતે તે સ્લીપ થઈ ગયા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. લગભગ અઠવાડિયા સુધી તેમની સારવાર ચાલી અને  23 ઓક્ટોબરના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા. 

નવસારી: રખડતા શ્વાનનો આંતક યથાવત,5થી 6 શ્વાનનું ટોળું યુવક પર તૂટી પડ્યું  અને બચકાં ભર્યાં, હોસ્પિટલમાં દાખલ કરાયો

પરિમલ નથવાણીએ કરી આ ટ્વિટ

રખડતા શ્વાનને કારણે અનેક લોકોના મોત થયા છે, રખડતા શ્વાન વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ તો અનેક વખત ઉઠી છે. રખડતા શ્વાન વિરૂદ્ધ તંત્ર દ્વારા શું પગલા લેવામાં આવ્યા છે તેનો રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટે તંત્ર પાસે માગ્યો છે. રખડતા ઢોર મામલે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે તો પણ કોઈ નક્કર પગલા લેવાયો હોય તેવું નથી લાગી રહ્યું. એક આંકડા મુજબ ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષની અંદર 12.50 લાખ કૂતરા કરડ્યા હોવાના કેસ સામે આવ્યા છે. ત્યારે રખડતા ઢોર વિરૂદ્ધ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી વાત પરિમલ નથવાણી દ્વારા કરવામાં આવી છે. 


કરોડો ખર્ચાયા પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર!

માત્ર અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 3.75 લાખ જેટલી શ્વાનની વસ્તી છે. ત્રણ વર્ષમાં કૂતરા કરડવાનાં 1.63 લાખથી વધુ બનાવ બન્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશને રખડતા કૂતરા પકડી તેનું ખસીકરણ કરવા ત્રણ વર્ષમાં રૂપિયા 9.36 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે. અમદાવાદમાં રખડતા કૂતરા કરડવાના રોજ 200 બનાવ બની રહ્યા છે. શ્વાન કરડવાના વર્ષ 2020માં 52,318, વર્ષ 2021માં 51812 અને વર્ષ 2022માં 59513 કેસ મળી ત્રણ વર્ષમાં કૂતરા કરડવાના કુલ 1,63, 643 કેસ માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં નોંધાવા પામ્યા છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!