સુરતમાં રખડતા શ્વાને બાળકી પર કર્યો હુમલો, ગાલ પર બચકા ભરી પહોંચાડી બાળકીને ઈજા


  • Published By :
  • Published Date : 2023-01-09 14:36:38

એક તરફ લોકો રખડતા પશુઓને કારણે પરેશાન છે તો બીજી તરફ રખડતા શ્વાનનો ત્રાસ પણ વધી રહ્યો છે. રખડતા પશુઓને કારણે અનેક લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચતી હોય છે. ત્યારે સુરતમાં રખડતા શ્વાને એક બાળકી પર હુમલો કર્યો હતો. શ્વાનને બાળકીના ગાલ પર બચકા ભર્યા છે. બાળકીને બચાવવા ગયેલી મહિલા પર શ્વાને હુમલો કર્યો હતો.


સુરતમાં જોવા મળ્યો શ્વાનનો આતંક

રાજ્યના લોકોને રખડતા પશુઓને કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે તો બીજી તરફ રખડતા શ્વાનનો આતંક પણ સતત વધી રહ્યો છે. અનેક વખત ચાલતા લોકો પર શ્વાન હુમલો કરી દેતા હોય છે. અવાર-નવાર શ્વાન નાના બાળકો પર તેમજ વૃદ્ધો પર હુમલો કરતા હોય છે. ત્યારે વિચલીત કરતી ઘટના સુરતથી સામે આવી છે જેમાં રખડતા શ્વાને બાળકી પર હુમલો કરી દીધો હતો. બાળકીના ગાલ પર બચકા ભર્યા છે. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. 


બચાવવા આવેલી મહિલા પર પણ કર્યો હુમલો 

મળતી માહિતી અનુસાર આ ઘટના કુલપાજા હંસ સોસાયટી નજીકની છે. બાળકી ઘર પાસે ઉભી હતી તે બાદ દોડતી દોડતી જઈ રહી હતી. તે દરમિયાન શ્વાને બાળકી પર હુમલો કર્યો. બાળકીને શ્વાને નીચે પાડી દીધી અને તે બાદ તેને બચકા ભર્યા હતા. બાળકીએ બુમાબુમ કરી અને જે બાદ એક મહિલા તેને બચાવવા આગળ આવી પરંતુ શ્વાને તેમની પર પણ હુમલો કર્યો હતો. બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી છે અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ ઘટનાની જાણ થતા તંત્રની ટીમ ત્યાં આવી પહોંચી હતી. લોકોના આવવાથી શ્વાન ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.