અમદાવાદમાં રખડતા ઢોર નિયંત્રણ પોલીસીનો આજથી અમલ, AMCતંત્રએ 7 ઝોનમાંથી 58 ઢોર પકડ્યા


  • Published By :
  • Published Date : 2023-09-01 22:00:17

અમદાવાદ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. રસ્તે-રસ્તે રખડતા ઢોર રાહદારીઓ અને વાહનચાલકોને પણ અડફેટે લઈ રહ્યા છે. રસ્તા પર ભટકતુ મોત હોય તે પ્રકારનો ત્રાસ શહેરમાં જોવા મળી રહ્યો છે. રખડતા ઢોર મામલે અગાઉ હાઇકોર્ટ દ્વારા પણ તંત્રને કાર્યવાહી કરવાની ટકોર કરવામાં આવી છે, છતાં હાઇકોર્ટના આદેશનું પણ જાણે તંત્ર ઉલ્લંઘન કરતો હોય તેવું જોવા મળી ચૂક્યું છે. અમદાવાદ શહેરમાં રખડતા ઢોરના ત્રાસના નિવારણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી નવી પોલિસી બનાવવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ આજથી એટલે કે પહેલી સપ્ટેમ્બરથી રખડતા ઢોરના ત્રાસના નિવારણ માટે બનેલી નવી પોલિસીનો અમલનો આદેશ કર્યો છે. ઉલ્લેખનિય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસન દ્વારા રોડ પર રખડતા ઢોર પકડવા માટે વિવિધ ઝોન વોર્ડના વિભાગને મહત્ત્વની સૂચના અંગેનો એક પરિપત્ર કર્યો હતો.


રખડતા ઢોરો પકડવાની કામગીરી શરૂ


અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિવિધ વિભાગોને આ પોલીસીના અમલ માટે આદેશ કર્યો છે. જેમાં મ્યુનિસિપલ કમિશનર શહેરના સાત ઝોનના અડતાલીસ વોર્ડના વિસ્તારમાં રોડ ઉપર રખડતા પશુઓને પકડવા સી.એન.સી.ડી. સહિતના અન્ય વિભાગોને જવાબદારી સોંપી છે. આજે 1 સપ્ટેમ્બર 2023થી આ નિતીનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરુપે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં રખડતા ઢોરો પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન આજ રોજ 58 ઢોર પકડવામાં આવ્યા છે અને ગેરકાયદેસર ઘાસચારો વેચતા સાત સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. રખડતા પશુને લગતી ફરિયાદોની સમીક્ષા કરી વધુ ફરિયાદ આવતી હોય તેવા વોર્ડ-વિસ્તારમાં સંયુકત ડ્રાઈવ કરી કામગીરી શરૂ કરવામાં આવી છે.


અમદાવાદના આ વિસ્તારોમાં કાર્યવાહી


અમદાવાદ શહેરનાં 7 ઝોનમાંથી જાહેર સ્થળો પર રખડતાં મૂકવામાં આવેલા 58 જેટલા પશુઓ પકડવામાં આવ્યા છે. તથા જમાલપુર, અમરાઇવાડી, રાધારમણ સાસાયટી, અનિલ સ્ટાર્ચ મીલની પાસે, સરદાર નગર બઝાર રોડ, સીટી ગોલ્ડ સિનેમા રોડ અને મણીધર મહારાજ પાસે ગેરકાયદેસર ઘાસ વેચતા ઇસમો વિરુધ્ધ જે-તે પોલીસ સ્ટેશનમાં 7 પોલીસ ફરિયાદ કરાઇ છે અને 235 ક્રિ.ગ્રા ઘાસચારો જપ્ત કરાયો છે. 36 જેટલા પશુઓમાં RFID ચીપ અને ટેગીંગ કરવામાં આવ્યું છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!