રાજકોટના ગોંડલમાં આખલાએ દંપતીને અડફેટે લીધું, બાઈકચાલક પતિનું મોત


  • Published By :
  • Published Date : 2023-02-17 14:26:34

રાજ્યમાં રખડતાં ઢોરનો આતંક સતત વધી રહ્યો છે, ગુજરાત હાઈકોર્ટે અનેક વખત રાજ્ય સરકારને આ મુદ્દે ફટકાર લગાવી છે. રાજ્યના તમામ મોટા શહેરોમાં રખડતાં ઢોરથી લોકો મોતને ભેટી રહ્યા છે, તો અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. જો કે તેમ છતાં પણ સરકાર આ મુદ્દે કોઈ કાર્યવાહી કરતી નથી. સૌરાષ્ટ્રમાં પણ રખડતાં ઢોરના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.


 ગોંડલમાં એક વ્યક્તિનું મોત 


સૌરાષ્ટ્રના ગોંડલમાં રખડતા ઢોરના આતંકની ઘટના સામે આવી છે. આખલાએ બાઈક પર જતા દંપતીને અડફેટે લીધું હતું, જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ગોંડલનાં ઘોઘાવદર ચોકમાં મોડી રાત્રે આ ઘટના બની હતી, રખડતા આખલાની અડફેટે બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં સંજયભાઈ રાવલ નામના આધેડનું મોત થયું હતું. બાઈ કચાલક સંજયભાઈના માથામાં ગંભીર ઈજા થઈ હતી. સંજયભાઈને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.