AMCના ઢોરવાડા ભરચક, 3 મહિના સુધી ઢોર ન છોડવા સૂચના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 19:09:45

ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ એટલો ગંભીર છે કે તેને 'ભટકતું મોત' કહેવામા આવે છે. પશુના કારણે અનેક અકસ્માતો થાય છે છતાં તંત્રને કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં રસ નથી. રખડતા ઢોરને લઈને ગુજરાત હાઇકોર્ટે પણ સતત AMCને કડક આદેશ આપી રહી છે. હાઈકોર્ટના આદેશના પગલે AMC દેખાડારૂપે રખડતાં ઢોરને પકડી લેવાની થોડી ઘણી કાર્યવાહી હાથ ધરે છે.


AMCના બંને ઢોરવાડામાં 4,800 ઢોર


રખડતા ઢોરનો ત્રાસ એટલો મોટો છે કે હવે AMCના ઢોરવાડા ફુલ થયા છે. હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં આ અંગે ચર્ચા થઈ છે. રખડતાં ઢોરને પકડી ટેગ મારવાની સૂચના આપી દેવામાં આવી છે. નિયમ પ્રમાણે દંડ વસુલી 3 મહિના સુધી ઢોર ન છોડવા આદેશ અપાયા છે. અમદાવાદનાં બંને ઢોરવાડામાં 4 હજાર 800 ઢોર રાખવામાં આવ્યા છે.


રખડતાં ઢોરને કારણે અકસ્માતો વધ્યા


રાજ્યમાં રખડતા ઢોરથી છેલ્લા એક વર્ષમાં અધધ 4,860 અકસ્માતના બનાવો બન્યા છે. જેમાં કેટલાય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તો કેટલાય લોકો  મોતને ભેટ્યા હતા. ઓગસ્ટ 2021માં 314 અકસ્માત  રખડતાં ઢોરને કારણે થયા હતા. જ્યારે સપ્ટેમ્બર 2021માં 372, ઓક્ટોબર 2021માં 447, નવેમ્બર 2021માં 438 ડિસેમ્બર 2021માં 375 અકસ્માત થયા હતા. જ્યારે ચાલુ વર્ષે જાન્યુઆરી 2022માં 375, ફેબ્રુઆરીમાં 359 અકસ્માત, માર્ચમાં 392 એપ્રિલમાં 465 અકસ્માત, મે મહિનામાં 444, જૂન મહિનામાં 423  જૂલાઇમાં 457 લોકો ઢોરની અડફેટે ચડયા હતા.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.