રખડતા પશુઓને પકડવામાં તો આવે છે, પરંતુ ઢોરવાસમાં આવી હાલતમાં રખાય છે! વીડિયો જોઈ દિલ કાંપી ઉઠશે


  • Published By :
  • Published Date : 2023-09-08 14:47:21

રખડતા ઢોરની સમસ્યા પ્રતિદિન વધતી જઈ રહી છે. રખડતા ઢોરનો શિકાર લોકો પ્રતિદિન બની રહ્યા છે. હાઈકોર્ટની કડક ફટકાર બાદ રસ્તા પર ફરતા ઢોરને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રસ્તા પરથી લોકોને રખડતા પશુના ત્રાસથી રાહત મળે તે માટે એએમસી દ્વારા રખડતા પશુઓને પકડવામાં આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ આ ઝુંબેશ શરૂ થઈ છે. મોટા પ્રમાણમાં ઢોરને પકડી લેવામાં આવ્યા છે. આંકડાઓ પણ સામે આવ્યા હતા ત્યારે હવે એક વીડિયો સામે આવ્યો છે જેમાં જે રીતે પશુઓને રાખવામાં આવ્યા છે તે દ્રશ્યો જોઈને આપણને પશુઓની ચિંતા થવા લાગશે. ઢોરવાસમાં એટલા બધા પશુઓને રાખવામાં આવ્યા છે કે પશુઓ શ્વાસ પણ નથી લઈ શક્તા. 

ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર એક્ટિવ થયું  

રસ્તા પરથી જ્યારે માણસ પસાર થાય ત્યારે સૌથી વધારે જો સમસ્યાનો સામનો તેમને કરવો પડે તો તે છે રખડતા ઢોરનો. ખરાબ રસ્તાની વાત અમે નથી કરી રહ્યા. રખડતા ઢોરનો ત્રાસ, રખડતા પશુ દ્વારા કરવામાં આવતા હુમલાઓને કારણે રાહદારીઓને તેમજ વાહનચાલકોને સમસ્યાનો સામનો કરવો પડે છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં રસ્તા પર શાંત લાગતા પશુઓ અચાનક દોડવા લાગે છે, એક બીજા સાથે લડવા લાગે છે, જેને કારણે રાહદારીઓના જીવન પર સંકટ તોડાતું રહ્યું છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર દ્વારા રખડતા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. 


વીડિયો સામે આવ્યો છે જે જોઈને ગાયોની દયા આવશે 

રસ્તા પર જ્યારે રખડતા ઢોરને પકડવાની કામગીરી થતી હોય ત્યારે પશુપાલકો પોતાના ઢોરને એ રીતે દોડાવે છે જેને કારણે રાહદારીઓના જીવન પર વધુ સંકટ તોડાતું હોય છે. જ્યારે તંત્રની ટીમ ઢોરને પકડવા માટે જતી હોય અને ટીમ પહોંચે તેની પહેલા જ રખડતા પશુઓને ત્યાંથી હટાવી લેવામાં આવે છે. રસ્તા પરથી રખડતા ઢોર હટાવાઈ રહ્યા છે પરંતુ પકડીને જે સ્થિતિમાં રાખવામાં આવે છે તે અત્યંત દયનિય છે. 


કોંગ્રેસ દ્વારા શેર કરાયો છે વીડિયો 

એક વીડિયો સામે આવ્યો છે જે બહેરામપુરાનો હોવાનું સામે આવ્યું છે. ક્ષમતા કરતા વધારે પશુઓને રાખવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગાયોને ખીચોખીચ ભરવામાં આવી છે. હલનચલનની પણ જગ્યા પશુ માટે રાખવામાં આવી નથી. સોશિયલ મીડિયા પર આ વીડિયો કોંગ્રેસ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો સામે આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. 


ઢોરવાસમાં ક્ષમતા કરતા વધારે રખાયા છે ઢોર!

મહત્વનું છે કે રસ્તા પરથી રખડતા પશુઓને અવશ્ય હટાવવામાં આવે, હટાવા જોઈએ પરંતુ ગાયોને પણ જીવનનો અધિકાર છે. ગાયોને પકડો પરંતુ તેમને પણ જેટલી જગ્યા જોઈતી હોય તે આપો. ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ જ્યારે ગાય માતા સાથે આવું વર્તન થાય તે યોગ્ય નથી તેવું લોકોનું કહેવું છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!