વડોદરામાં દર્દીના પિત્તાશયમાંથી તબીબોએ લેપ્રોસ્કોપીક સર્જરીથી 1628 પથરી કાઢી, ડોક્ટર પણ દંગ રહી ગયા


  • Published By :
  • Published Date : 2023-07-28 23:26:00

શરીરમાં પથરીની ઘણા લોકોને હોય છે, પથરીના કારણે અસહ્ય પીડા થાય છે. જો  કે ઓપરેશનથી પેટમાં રહેલી પથરીને દુર કરી શકાય છે. વડોદરમાં તબીબોએ ઑપરેશન કરીને એક યુવકના પિત્તાશયમાંથી 1628 જેટલી પથરી કાઢી હતી. વડોદરાના નવા યાર્ડમાં રહેતા અને ફેબ્રિકેશનનું કામ કરતાં મહંમદ ખલીક પઠાણ (35) પેટમાં ગેસ અને દુખાવાની ફરિયાદ બાદ સારવાર લેવા હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં સોનોગ્રાફી રિપોર્ટ બાદ પથરી હોવાનું નિદાન થયું હતુ. જે બાદ લેપ્રોસ્કોપીક સર્જન દ્વારા તેના પિત્તાશયની પથરી લેપ્રોસ્કોપીક સર્જરીથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.આજે યુવક પર શસ્ત્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં દર્દીના પિત્તાશયમાંથી 1628 જેટલી પથરીઓ દૂર કરવામાં આવી હતી. માનવ શરીરમાં પથરીઓનો આટલો મોટો જથ્થો જોઈને તબીબો પણ દંગ રહી ગયા હતા.


બે કલાક ચાલી સર્જરી


વડોદરામાં રહેતા 35 વર્ષીય દર્દી મોહમ્મદ પઠાણને પેટમાં અસહ્ય પીડા થતી હોવાથી નિઝામપુરામાં આવેલ હોસ્પિટલમાં લેપ્રોસ્કોપિ સર્જરી કરાવી હતી.  જે બાદ દર્દી મોહમ્મદ પઠાણની સોનોગ્રાફી કરાવવામાં આવી હતી, જેમાં ખબર પડી કે  તેને પિતાશયની પથરીનો દુઃખાવો છે. ત્યાર બાદ તેની સીટી સ્કેન મારફતે તપાસ કરવામાં આવી હતી. ગત રોજ લેપ્રોસ્કોપિ સર્જરી સર્જરી કરવામાં આવી હતી. લેપ્રોસ્કોપિ સર્જરી બાદ ર્ડાક્ટરે તે વ્યક્તિનાં શરીરમાંથી 1628 પથરી નીકળી હતી. ત્યારે લેપ્રોસ્કોપિક સર્જન ર્ડા. લલિત મછાર, ર્ડા. જીતેન્દ્ર મિસ્ત્રી અને ર્ડા. તુષાર ચોક્સીએ સફળ ઓપરેશન કર્યું હતું. લેપ્રોસ્કોપિક સર્જરી થકી દૂર કરાયેલી પથરી ગણવામાં સ્ટાફને 3 કલાક ઉપરાંતનો સમય લાગ્યો હતો. જયારે લેપ્રોસ્કોપિક સર્જરી કરવામાં તબીબોને 2 કલાક જેટલો સમય લાગ્યો હતો. હાલ મોહમ્મદ પઠાણની તબિયત સુધારા પર અને તંદુરસ્ત છે. જ્યારે ડોક્ટર લલિત મછારે ખાસ કરીને યુવાનોને શક્ય હોય ત્યાં સુધી જંક ફૂડ અને ફાસ્ટ ફૂડથી દૂર રહેવા માટે સૂચન કર્યું હતું.

 

શા માટે થાય છે પથરી?


જે લોકો આખા દિવસમાં જરૂરિયાત કરતા ઓછું પાણી પીવે છે તેમને કિડની સ્ટોનની સમસ્યા થઈ શકે છે. કિડની સ્ટોનની સમસ્યાથી બચવા માટે આખા દિવસમાં ઓછામાં ઓછું 3 થી 4 લીટર પાણી પીવું  જોઈએ. જો લોકો વધુ પડતું મીઠું અને મીઠાઈ ખાવાથી પણ કિડનીમાં પથરી થઈ શકે છે. રોગો અને કિડનીની પથરીથી બચવા માટે મીઠું અને મીઠાઈઓ ઓછી ખાવી જોઈએ. માંસાહારી લોકોને પણ કિડની સ્ટોનનું થઈ શકે છે. કેલ્શિયમ-પ્રોટીન અસંતુલનને કારણે પણ કિડનીમાં પથરી થાય છે. આ ઉપરાંત ચયાપચયની પ્રક્રિયામાં ઉભા થયેલા અવરોધના કારણે પિત્તાશયમાં પથરી થાય છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!