વડોદરાની શાંતિ ડહોળવાનો પ્રયાસ, ભગવાન શ્રીરામની શોભાયાત્રા પર પથ્થરમારો, વિસ્તારમાં SRP તૈનાત


  • Published By :
  • Published Date : 2023-03-30 15:40:13

સમગ્ર રાજ્યમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની જન્મજયંતિ રામનવમીની ભારે હર્ષોલ્લાસભેર ઉજવણી થઈ રહી છે. વિવિધ શહેરો અને ગામોમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. જો કે રામનવમીના આ પવિત્ર તહેવારે રાજ્યની શાંતિ ડહોળવાના પ્રયાસો પણ થતા જોવા મળી રહ્યા છે. જેમ કે  વડોદરાના ભૂતળી ઝાંપા વિસ્તારમાંથી રામજીની સવારી પસાર થતી હતી તે દરમિયાન પથ્થરમારો થયો હતો. 


ભગવાન શ્રી રામની શોભાયાત્રા પર પથ્થરમારો


ડોદરાના ભૂતળી ઝાંપા વિસ્તાર કોટલાક અસામાજીક તત્વોએ ભગવાન શ્રી રામની શોભાયાત્રા દરમિયાન પથ્થરમાર કર્યો હતો. શોભાયાત્રા મસ્જિદ પાસેથી પસાર થતી હતી ત્યારે જ પથ્થરમારો થતાં માહોલ ગરમાયો હતો. પથ્થરમારાના સમાચાર મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તમામ વિસ્તાર કોર્ડન કર્યો હતો. તોફાની તત્વોએ ઘટનામાં ટુ વ્હીલર ગાડીઓને નુકસાન પહોચાડ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, શોભાયાત્રા હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નીકળી તે વખતે તેના પર પથ્થરમારો થયો હતો. જે બાદ એસઆરપીની બે ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.