Rajkot નજીક Vande Bharat Train પર થયો પથ્થરમારો, જે ટ્રેન પર પથ્થરમારો થયો તેમાં આ મંત્રી કરી રહ્યા હતા મુસાફરી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-08 13:27:52

દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેન દોડે છે. વંદે ભારત ટ્રેનને અનેક વખત અકસ્માત પણ નડ્યા છે. કોઈ વખત ગાય ટ્રેક પર આવી જાય છે તો કોઈ વખત ટ્રેન પર પથ્થરમારો થાય છે. ત્યારે રાજકોટમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી છે. ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. મળતી માહિતી અનુસાર હર્ષ સંઘવી ઈ1 કોચમાં હતા. પથ્થરમારો બિલેશ્વર સ્ટેશન પાસે થયો હતો. પથ્થરમારો થતા વંદે ભારતના ટ્રેનના કાચને નુકસાન પહોંચ્યું છે.

જામનગર-અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન હવે આ સ્ટેશન સુધી લંબાવાઈ -  મુંબઈ સમાચાર

(ફાઈલ તસવીર)

હર્ષ સંઘવી પણ વંદે ભારત ટ્રેનમાં કરી રહ્યા હતા પ્રવાસ  

વંદે ભારત ટ્રેન જ્યારથી શરૂ થઈ છે ત્યારથી ટ્રેન અનેક વખત અકસ્માતનો શિકાર બની છે. અનેક વખત તો એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ઉદ્ધાટન થયાના થોડા દિવસોની અંદર જ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હોય અથવા તો ગાય ટ્રેક પર આવી હોય જેને કારણે અકસ્માત સર્જાયો હોય. આવા અનેક કિસ્સાઓ છે. ત્યારે ફરી એક વખત વંદે ભારત ટ્રેન પર રાજકોટ નજીક પથ્થરમારો કરવામાં આવ્યો છે જેમાં ટ્રેનના કાચને નુકસાન પહોંચ્યું છે. હર્ષ સંઘવી પણ આ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. મંત્રી ઈ1 કોચમાં હતા જ્યારે આ પથ્થરમારો C4 અને C5 કોચ પર કરવામાં આવ્યા હોય તેવી માહિતી સામે આવી છે. 

અનેક કોચના ફૂટ્યા કાંચ 

મળતી માહિતી અનુસાર પથ્થરમારો થયા બાદ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. આ પથ્થરમારા અંગે મંડળ સુરક્ષા આયુક્ત, પવનકુમાર શ્રીવાસ્તવે જણાવ્યું કે, રાજકોટ સ્ટેશનના ચાર કિલોમીટર પહેલા આ પથ્થરમારો થયો હતો. જેના કારણે વંદે ભારત ટ્રેનના C4 અને C5 કોચના કાંચ ફૂટ્યા હતા. જોકે, આ પથ્થરમારાથી કોઈ મોટી નુકસાની નથી થઇ. કોઈ વ્યક્તિને ઇજા પણ પહોંચી નથી. મહત્વનું છે કે અનેક વખત આવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હોય.    



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!