પશ્ચિમ બંગાળમાં વંદે ભારત ટ્રેન પર થયો પથ્થરમારો, થોડા દિવસ પહેલા શરૂ થઈ હતી ટ્રેન


  • Published By :
  • Published Date : 2023-01-03 12:03:20

થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. હાવડાથી ન્યુ જલપાઈગુડી સુધી વંદે ભારત ટ્રેન જતી હોય છે. પથ્થરમારાની ઘટના માલદા સ્ટેશન પાસે બની હતી. વંદે ભારત ટ્રેનની બારીના કાચ તૂટી ગયા હતા.  વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયાની માહિતી મળતા રેલવે તંત્ર દોડતું થયું છે.


વંદે ભારત ટ્રેનને અનેક વખત નડ્યા છે અકસ્માત 

દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેન ફરી રહી છે. ગુજરાતમાં પણ વંદે ભારત ટ્રેન દોડી રહી છે. ગુજરાતમાં પણ વંદે ભારત ટ્રેનને અનેક વખત અકસ્માત નડ્યા છે. પશુ ભટકાવવાને કારણે વંદે ભારત ટ્રેનને નુકસાન પહોચ્યું છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં પણ વંદે ભારત ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ ટ્રેન શરૂ થયાને થોડા દિવસો બાદ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે.  જેને કારણે ટ્રેનના કાચ તૂટી ગયા હતા. 

       

  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.