Vadodaraના ભોજ ગામમાં ભગવાન રામની શોભાયાત્રા પર કરાયો પથ્થરમારો! પોલીસ કાફલો કરાયો તૈનાત


  • Published By :
  • Published Date : 2024-01-22 17:42:46

એક તરફ ભગવાન રામની ભક્તિમાં દેશ આખો લીન થયો છે તો બીજી તરફ ગુજરાતમાં શાંતિ ખોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રામ ભગવાનની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે જેમાં 10 જેટલી મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે. વડોદરાના ભોજ ગામમાં ભગવાન રામની શોભાયાત્રા દરમિયાન કેટલાંક અસામાજિક તત્વો દ્વારા પથ્થર મારો કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. પથ્થમારા ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ગઈકાલે પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી. અસામાજીક તત્વો દ્વારા આ પથ્થરમારો કરવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી છે. 


ભોજ ગામમાં બની પથ્થરમારાની ઘટના!

ગઈકાલે મહેસાણાના ખેરાલુથી સમાચાર સામે આવ્યા કે રામ ભગવાનની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ગુજરાતની શાંતિને ભંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારે આજે આવી ઘટના વડોદરાથી સામે આવી છે. વડોદરાના પાદરા તાલુકાના ભોજ ગામમાં જ્યારે ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી તે વખતે પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા 10 જેટલી મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે. ઘટનાને પગલે ભોજ ગામમાં પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. પોલીસે આ મામલાને શાંત પાડવાની કોશિશ કરી, લોકોને સમજાવાની કોશિશ કરી હતી. પાદરાના પીઆઈ તડવીએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે, પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.  

શું હતી મહેસાણાની ઘટના?

મહેસાણા જિલ્લાના ખેરાલુમાં પણ ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. હાટડીયા રામની શોભાયાત્રા દરમિયાન ખેરાલુ કડીયા બજારમાં શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બન્યાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. શોભાયાત્રા બેલીમ વાસ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ધાબા પરથી કેટલાક યુવકો અને મહિલાઓના સહિતના ટોળાએ શોભાયાત્રા પર અચાનક પથ્થર મારો કર્યો હતો. ધાબા ઉપર થી મહિલાઓ અને પુરુષોએ રેલી ઉપર પથ્થર મારો કર્યા હોવાનો વીડિયો પણ વાયરલ થયો. ઘટનાની જાણ થતાં ખેરાલુ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પથ્થરમારો કરનાર સામે પોલીસે કડક કાર્યવાહી કરવાની શરૂ કરી છે. 

પોલીસે 10 રાઉન્ડ ટીયર ગેસના સેલ છોડ્યા


ખેરાલુમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા વાજતે ગાજતે નિકળી હતી પરંતું મસ્જિદ આગળથી પસાર થતા જ શોભાયાત્રા દરમ્યાન પથ્થરમારો અચાનક જ શરુ થયો હતો. અચાનક પથ્થરમારાની ઘટના સામે આવતા લોકોમાં અફરા-તફરી સર્જાઈ હતી. પોલીસે આશરે 10 રાઉન્ડ ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને મામલો શાંત પાડવા માટે પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકાયો હતો. ત્યારે આજે ભગવાનની શોભાયાત્રા પર વડોદરામાં પથ્થરમારો કરવામાં આવ્યો છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!