ખેડા જિલ્લામાં ફરી વખત ધાર્મિક અશાંતિનો માહોલ ફેલાયો છે. માતમ તાલુકાના ઊઠેર ગામ ખાતે આઠમના ગરબા ચાલી રહ્યા હતા ત્યારે લઘુમતી સમાજના કેટલાક તત્વો દ્વારા પત્થરમારો કરવામાં આવ્યો હતો
આ ઘટનામાં 6થી 8 લોકોને ઇજાઑ પહોંચી હતી. અને તેમને સારવાર હેઠળ છે હાલ ઊંઠેરા ગામના સરપંચે આ ઘટનાની માહિતી આપતાં જણાવ્યું કે, તેમણે પોતે સરપંચ બનશે તો આઠમના ગરબા કરાવશે તેવી માનતા રાખી હતી. આ કારણે માંડવી ચોકથી તુળજાભવાની મંદિર સુધી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આઠમનું નોરતું હતું અને કેટલાક લોકોએ ગરબા રમવાની ના પાડી ત્યાર બાદ તરત જ ચારેબાજુ પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. અને ત્યાં હીનક્ષક માહોલ બની ગયો હતો આમાં
કેટલા આરોપી પકડાયા ?
ખેડા પોલીસે 10 આરોપીઓની કરી ધરપકડ કરી હતી અને ધરપકડ કરાયેલા વિધર્મી આરોપીઓને ગામમાં લાવવામા આવ્યા. અને સજાના ભાગ રૂપે તેમની ખેડા એલસીબી પીઆઇ અશોક.વી. પરમારે તમામ આરોપીઓની જાહેરમાં કરી ધુલાઈ એટલે એક ફરી કોઈ આવુંના કરે ત્યાં ગામમાં આરોપીઓની ધુલાઈ કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા.. ધુલાઈ બાદ લોકોએ ભારત માતા કી જય વંદે માતરમ, જયશ્રી રામના લાગ્યા નારા લગવ્યા.
ખેડાના ઊંઢેલા ગામમાં ગરબા દરમિયાન લઘુમતિ સમાજના લોકોએ હિંદુ લોકો પર પથ્થર મારો કર્યો હતો, જેમાં સજાના ભાગરૂપે અને દાખલો બેસાડવા માટે પોલીસે આરોપીઓને જાહેરમાં સજા આપી હતી. #navratri #ashokparmar #undhela #village #hindu #attack #kheda pic.twitter.com/3rPFu96sFX
— Jamawat (@Jamawat3) October 4, 2022
