આંબેડકરનું પૂતળું હટાવવા મુદ્દે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પથ્થરમારો, પોલીસે એકની કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-04-12 15:34:04

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરનું પુતળું હટાવવાના વિરોધમાં બબાલ થઈ ગઈ હતી. મામલો વણસતા ટોળાએ પથ્થરમારો પણ કર્યો હતો. આ ઘટના અંગ ચાંદખેડા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ચાંદખેડાના દિલીપ તિવારી નામના એક દુકાનદારે 30 માર્ચે એક પિલર તોડી નાખ્યું હતું જેના પર આંબેડકરનું પૂતળું સ્થાપિત કરવામાં આવી હતી. 


સમગ્ર મામલો શું હતો?


અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી એક રહેણાંક સોસાયટીની જમીન પર આંબેડકરનું પૂતળું સ્થાપિત કરવામાં આવ્યું હતું. સ્થાનિક રહીશ અને દુકાનદાર દિલીપ તિવારીએ આ પૂતળાનો વિરોધ કરતા કહ્યું કે આ સોસાયટીની જમીન પર દબાણ છે. આ મુદ્દે સ્થાનિક નાગરિક સંસ્થાએ પણ પિલરને હટાવવા માટે નોટિસ આપી હતી. જો કે તેમ છતાં પણ આંબેડકરનું પૂતળું યથાવત રહેતા દિલીપ તિવારીએ તે પિલર તોડી નાખ્યું ત્યાર બાદ મામલો વણસ્યો હતો.


વીડિયો વાયરલ થતા હોબાળો થયો


ચાંડખેડા વિસ્તારના એક સ્થાનિક સામાજિક કાર્યકર, કેતુલ કાપડિયાએ કથિત રીતે આંબેડકરના પુતળાને તોડી પાડતો વીડિયો સોશિયલ મીડિયા પર મુક્યો કર્યો હતો. ત્યાર બાદ સેંકડો લોકો એકઠા હતા થયા અને કથિત રીતે તિવારીની દુકાનને નુકસાન પહોંચાડ્યું હતું. ચાંદખેડા પોલીસે કાપડિયા વિરુદ્ધ ગેરકાયદેસર રીતે સભા કરવા, નુકસાન પહોંચાડવા અને તોફાનો કરવા બદલ ફરિયાદ નોંધી હતી, કેતુલ કાપડિયાની ધરપકડ કરીને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.