વેશ્વિક મંદીના ભણકારા: સેન્સેક્સ -953.70 અને નિફ્ટી -311 પોઈન્ટ તૂટ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 16:24:42

વેશ્વિક મંદીની અસર ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહી છે. આજે સપ્તાહના પહેલા દિવસે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો બોલાયો છે.  સવારથી જ રેડ ઝોનમાં ટ્રેડિંગ શરૂ થયું હતું. આજે સેન્સેક્સ અને નિફ્ટી તેમના મહત્વના સ્તરોથી તૂટી ગયા અને બજારમાં ચારેબાજુ વેચવાલી જોવા મળી રહી હતી. આજે -953.70 પોઈન્ટના ઘટાડા સાથે સેન્સેક્સ 57,145.22 પર બંધ રહ્યો છે, જ્યારે નિફ્ટી પણ -311 પોઈન્ટના ઘટાડા સાથે 17016.30 પર બંધ રહ્યો છે.


4 દિવસમાં 14 લાખ કરોડનું નુકસાન!


મુંબઈ સ્ટોક એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઇઝેશન શુક્રવારે રૂ. 276.65 લાખ કરોડ હતું, જે સોમવારે ટ્રેડિંગ શરૂ થયાના થોડા કલાકોમાં ઘટીને રૂ. 269.86 લાખ કરોડ થઈ ગયું હતું. એટલે કે રોકાણકારોને લગભગ 7 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે 20 સપ્ટેમ્બર, 2022 ના રોજ, બજાર છેલ્લી વખત ઝડપી ગતિએ બંધ થયું હતું, તે દિવસે માર્કેટ કેપ 283.32 લાખ કરોડ રૂપિયા હતું. આનો અર્થ એ થયો કે રોકાણકારોએ માત્ર ચાર ટ્રેડિંગ સેશનમાં 13.50 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. 



નિષ્ણાતો શું કહે છે?


શેર બજારમાં જોરદાર કડાકા પાછળ નિષ્ણાતો વૈશ્વિક મંદીના ભયને જવાબાદાર માને છે. "વિશ્વભરની બેંકો જે દરે વ્યાજદરમાં વધારો કરી રહી છે તેનાથી રોકાણકારોની ચિંતા વધી છે, આ મંદી ઘણા દેશોની અર્થવ્યવસ્થાઓને મંદીમાં ધકેલી શકે છે. ભારતમાં રિઝર્વ બેંક ગવર્નરની નાણાકીય નીતિની બેઠક પહેલા બેંકિંગ, રિયલ એસ્ટેટ અને ઓટો જેવા રેટ-સંવેદનશીલ શેરોમાં તીવ્ર ઘટાડો વધારો જોવા મળ્યો હતો. કારણ કે વ્યાજ દરમાં વધારો આગામી સમયમાં માંગને અસર કરે તેવી શક્યતા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે