વૈશ્વિક મંદીની આશંકા વચ્ચે આજે સેન્સેક્સમાં 491 અને નિફ્ટીમાં 126 પોઇન્ટનો ઉછાળો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 16:20:40

વૈશ્વિક મંદીની આશંકા વચ્ચે ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ શાનદાર રહ્યો છે. દુનિયાભરની રેટિંગ એજન્સીઓ મહામંદીની આશંકા વ્યક્ત કરી રહી છે ત્યારે ભારતના શેરબજારમાં જોવા મળતી ફુલગુલાબી તેજી શંકા ઉપજાવે છે. નિષ્ણાતો પણ રોકાણકારોને આ છેતરામણી તેજીથી દુર રહેવાની સલાહ આપી રહ્યા છે.


સેંન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો નોંધાયો

 

આજે સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સમાં 490થી વધુ પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો. જેના કારણે સેન્સેક્સ ફરી 58 હજારને પાર થયો છે. નિફ્ટીમાં પણ 126 પોઇન્ટનો ઉછાળો આવ્યો. આજે સેન્સેક્સ 491.01 પોઇન્ટના વધારા સાથે 58410.98 પર અને નિફ્ટી 126.1 પોઇન્ટના વધારા સાથે 17311.80 પર બંધ રહ્યા. 


ક્યા સેક્ટરમાં તેજી-મંદી જોવા મળી?


શરબજારમાં આજે મેટલ અને રિયલ્ટી શેરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું. જોકે બેન્કિંગ સેક્ટરમાં સારી વૃદ્ધિ જોવા મળી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો શેર આજે નિફ્ટીના સૌથી વધુ વધેલા શેરોની યાદીમાં ટોચ પર હતો. મિડ-કેપ અને સ્મોલ-કેપના શેરોમાં પણ ખરીદારી જોવા મળતા તેમાં પણ નજીવો વધારો જોવા મળ્યો હતો. નિફ્ટી 50ના 36 શેરો લીલા નિશાન પર જ્યારે 13 શેરો લાલ નિશાન પર બંધ થયા.


બજારમાં આજના ટ્રેડિંગ સેશનમાં બેન્કિંગ, ઓટો, આઈટી, એનર્જી, ફાર્મા, એમએફસીજી સેક્ટરના શેરોમાં ખરીદારી જોવા મળી હતી. જ્યારે મેટલ્સ, રિયલ એસ્ટેટ અને મીડિયા સેક્ટરના શેરોમાં વેચવાલી જોવા મળી હતી. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે