શેરબજારે રચ્યો ઈતિહાસ, સેન્સેક્સ 70 હજાર અને નિફ્ટી 21,000ને પાર, જાણો તેજીનું રહસ્ય


  • Published By :
  • Published Date : 2023-12-14 22:44:27

ભારતીય શેરબજારે ગુરુવારે  ઈતિહાસ રચ્યો હતો અને સેન્સેક્સે 70 હજાર અને નિફ્ટીએ પહેલીવાર 21 હજારનો આંકડો પાર કર્યો હતો. BSEનો 30 શેરનો સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ 929.61 પોઈન્ટ એટલે કે 1.34 ટકા વધીને 70 હજાર પોઈન્ટના મનોવૈજ્ઞાનિક સ્તરને વટાવીને 70514.20 પોઈન્ટની સર્વકાલીન ટોચે પહોંચ્યો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી 256.35 પોઈન્ટ એટલે કે 1.23 ટકા ઉછળીને 21182.70 ના ઓલ-ટાઇમ રેકોર્ડ સ્તરે બંધ રહ્યો હતો.


સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો


BSEમાં કુલ 3892 કંપનીઓના શેરમાં ટ્રેડિંગ  થયું હતું, જેમાંથી 2064 ખરીદાયા હતા અને 1702 વેચાયા હતા જ્યારે 126 યથાવત રહ્યા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 23માં ઉછાળો અને 7માં ઘટાડો જોવા મળ્યો હતો. આઇટી અને બેન્કિંગ શેર્સમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો છે. ઈન્ફોસિસ 3.93% અને ટેક મહિન્દ્રા 3.67% વધ્યો હતો. એ જ રીતે નિફ્ટી કંપનીઓના 38  શેર લીલા નિશાનમાં બંધ થયા હતા જ્યારે બાકીની 12 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. BSE લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 3.8 લાખ કરોડ વધીને રૂ. 355 લાખ કરોડ ( 4.26 ટ્રિલિયન ડોલરના)ના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે.


શા માટે શેર માર્કેટમાં તેજી?


શેર બજારના નિષ્ણાતોના મતે, અમેરિકાના સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના વ્યાજદરમાં ઘટાડો કરવાના સ્પષ્ટ સંદેશે આગામી દિવસોમાં સ્માર્ટ સાન્તાક્લોઝ રેલી માટે પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. તે ચૂંટણી પહેલાની રેલીને પણ ટ્રિગર કરી શકે છે, જે બજારને નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે. ફેડ તરફથી ગઈકાલના સંદેશનો અર્થ છે કે સખત પગલાનો તબક્કો પૂરો થઈ ગયો છે અને વર્ષ 2024માં વ્યાજદરમાં ત્રણ વખત ઘટાડો શક્ય છે. અમેરિકામાં 10-વર્ષની યીલ્ડમાં ચાર ટકાનો ઘટાડો સ્થાનિક બજારમાં મોટા પાયે મૂડીપ્રવાહ તરફ દોરી જશે.


આ વર્ષે માર્કેટ 15 ટકા વધ્યું 

 

આ વર્ષની શરૂઆતમાં એટલે કે 2 જાન્યુઆરીએ (બજાર 1 જાન્યુઆરીએ બંધ હતું) સેન્સેક્સ 61,167ના સ્તરે હતો, જે હવે 14 ડિસેમ્બરે 70,514 પોઈન્ટ પર પહોંચી ગયો છે. એટલે કે, આ વર્ષે અત્યાર સુધીમાં તેમાં 15%થી વધુ એટલે કે 9,347 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. નિષ્ણાતોના મતે આ વધારો ભવિષ્યમાં પણ ચાલુ રહી શકે છે.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.