શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 360 અને નિફ્ટી 111 પોઈન્ટ તૂટ્યો, આ છે કારણો


  • Published By :
  • Published Date : 2023-03-20 20:07:49

શેરબજારમાં છેલ્લા બે સત્રમાં તેજી જોવા મળી હતી, પરંતુ આજે સોમવારે સ્થાનિક શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો.સોમવારે સેન્સેક્સ 360.95 તુટી 57,628.95 જ્યારે નિફ્ટી 111.65 પોઈન્ટ તૂટી 16,988.40 પર બંધ રહ્યો હતો. અમેરિકામાં સિલિકોન વેલી સંકટ 9 માર્ચે સામે આવ્યું ત્યારથી, સેન્સેક્સ 3000 થી વધુ પોઈન્ટ્સ તુટી ચુક્યો છે. આ ઘટાડાના કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં લગભગ 3.5 લાખ કરોડનું ધોવાણ થયું છે. આજે એક સમયે તો સેન્સેક્સ 800 પોઈન્ટ જ્યારે નિફ્ટી 16,900 પોઈન્ટની નીચે આવી ગયો હતો.


શેર બજાર તુટવાના આ છે મુખ્ય કારણો


1. વૈશ્વિક બેંકિંગ કટોકટી


સ્વિસ રેગ્યુલેટર્સે ક્રેડિટ સુઈસ કટોકટી વધુ ઘેરી ન બને તે માટે પ્રયાસો ભલે શરૂ કર્યા હોય, પરંતુ રોકાણકારો વૈશ્વિક બેન્કિંગ સિસ્ટમ પર તેની સંભવિત અસર વિશે ચિંતિત છે.


2. અન્ય બજારોની અસર


એશિયન બજારોમાં વેચવાલીની અસર સ્થાનિક બજારોમાં પણ જોવા મળી હતી. હોંગકોંગનો હેંગસેંગ 2.5 ટકા નીચે આવ્યો છે. જ્યારે, જાપાનનો નિક્કી અને ઓસ્ટ્રેલિયાનો ASX200 પણ 1 ટકાથી વધુ તૂટ્યો છે. તેની અસર ભારતીય બજાર પર પણ પડી છે.


3. ફેડ રિઝર્વની મીટિંગ પર નજર 


અમેરિકાના ફેડ રિઝર્વના દર નક્કી કરવા માટેની સમિતિની બેઠક 21-22 તારીખના રોજ યોજાવા જઈ રહી છે. તમામની નજર બેઠકના પરિણામ પર છે.


4. વિદેશી રોકાણકારોએ કર્યું વેચાણ


આ વર્ષે મોટાભાગે FII વેચવાના મૂડમાં જોવા મળ્યા હતા. શુક્રવારે વિદેશી રોકાણકારોએ રૂ. 1,700 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. આ રીતે, FIIએ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં રૂ. 23,000 કરોડનું વેચાણ કરી ચુક્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે