શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 360 અને નિફ્ટી 111 પોઈન્ટ તૂટ્યો, આ છે કારણો


  • Published By :
  • Published Date : 2023-03-20 20:07:49

શેરબજારમાં છેલ્લા બે સત્રમાં તેજી જોવા મળી હતી, પરંતુ આજે સોમવારે સ્થાનિક શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો.સોમવારે સેન્સેક્સ 360.95 તુટી 57,628.95 જ્યારે નિફ્ટી 111.65 પોઈન્ટ તૂટી 16,988.40 પર બંધ રહ્યો હતો. અમેરિકામાં સિલિકોન વેલી સંકટ 9 માર્ચે સામે આવ્યું ત્યારથી, સેન્સેક્સ 3000 થી વધુ પોઈન્ટ્સ તુટી ચુક્યો છે. આ ઘટાડાના કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં લગભગ 3.5 લાખ કરોડનું ધોવાણ થયું છે. આજે એક સમયે તો સેન્સેક્સ 800 પોઈન્ટ જ્યારે નિફ્ટી 16,900 પોઈન્ટની નીચે આવી ગયો હતો.


શેર બજાર તુટવાના આ છે મુખ્ય કારણો


1. વૈશ્વિક બેંકિંગ કટોકટી


સ્વિસ રેગ્યુલેટર્સે ક્રેડિટ સુઈસ કટોકટી વધુ ઘેરી ન બને તે માટે પ્રયાસો ભલે શરૂ કર્યા હોય, પરંતુ રોકાણકારો વૈશ્વિક બેન્કિંગ સિસ્ટમ પર તેની સંભવિત અસર વિશે ચિંતિત છે.


2. અન્ય બજારોની અસર


એશિયન બજારોમાં વેચવાલીની અસર સ્થાનિક બજારોમાં પણ જોવા મળી હતી. હોંગકોંગનો હેંગસેંગ 2.5 ટકા નીચે આવ્યો છે. જ્યારે, જાપાનનો નિક્કી અને ઓસ્ટ્રેલિયાનો ASX200 પણ 1 ટકાથી વધુ તૂટ્યો છે. તેની અસર ભારતીય બજાર પર પણ પડી છે.


3. ફેડ રિઝર્વની મીટિંગ પર નજર 


અમેરિકાના ફેડ રિઝર્વના દર નક્કી કરવા માટેની સમિતિની બેઠક 21-22 તારીખના રોજ યોજાવા જઈ રહી છે. તમામની નજર બેઠકના પરિણામ પર છે.


4. વિદેશી રોકાણકારોએ કર્યું વેચાણ


આ વર્ષે મોટાભાગે FII વેચવાના મૂડમાં જોવા મળ્યા હતા. શુક્રવારે વિદેશી રોકાણકારોએ રૂ. 1,700 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. આ રીતે, FIIએ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં રૂ. 23,000 કરોડનું વેચાણ કરી ચુક્યા છે.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.