કર્ણાટકમાં કોંગ્રેસની જીતને લઈ ભાવુક થયા પ્રદેશ પ્રમુખ ડીકે શિવકુમાર, સોનિયા ગાંધીને યાદ કરતા કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-05-13 19:17:45

કર્ણાટકમાં કોંગ્રેસની જીત લગભગ નિશ્ચિત છે. કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર બનાવશે તેવું રૂઝાનો જોતા લાગી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા ઉજવણી પણ શરૂ કરી દેવામાં આવી છે. પરિણામને લઈ કર્ણાટક કોંગ્રેસ પ્રમુખ ડી.કે શિવકુમાર ભાવુક થયા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે મેં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીને જીતનું આશ્વાસન આપ્યું હતું. જીત પાછળનો શ્રેય તેમણે પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને આપ્યો હતો.

રાહુલ ગાંધી દેશના પીએમ બની શકે છે - કોંગ્રેસ નેતા 

લોકસભાની ચૂંટણી પહેલા તમામ લોકોની નજર કર્ણાટકની ચૂંટણી પર હતી. કોંગ્રેસ દ્વારા કર્ણાટકમાં સારૂ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ નેતાઓ આ પરિણામને લઈ લોકસભા ચૂંટણી અંગે વાતો કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા Siddharamaiahએ કહ્યું કે રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બની શકે છે. તેમણે લોકસભાની ચૂંટણી માટે બીજેપી સિવાયના પક્ષોએ એક સાથે થવાની વાત કરી હતી. તેમણે પીએમ મોદી, અમિત શાહ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કર્ણાટકમાં પ્રચાર કરવા પીએમ મોદી અનેક વખત આવ્યા છે. કોઈ પણ વડાપ્રધાને આટલો બધો પ્રચાર નથી કર્યો. તે સિવાય કર્ણાટકની ચૂંટણીના પરિણામને લઈ કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડી.કે શિવકુમારે દાવો કર્યો હતો કે કોંગ્રેસને 140 સીટો મળવાની છે. 


કર્ણાટક કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ થયા ભાવુક! 

થોડા સમય પહેલા રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી લઈ કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા કરી હતી. યાત્રાને સારો જનપ્રતિસાદ મળ્યો હતો. કોંગ્રેસની જીતમાં આ યાત્રાનો મહત્વનો ફાળો નિષ્ણાંતો માની રહ્યા છે. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બની રહી છે. કર્ણાટકમાં કોંગ્રેસની જીત પર કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ભાવુક થઈ ગયા હતા. તે સિવાય કોંગ્રેસ દ્વારા પણ જીતને લઈ ટ્વિટ કરવામાં આવી છે. જેમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો વીડિયો બતાવવામાં આવ્યો છે. તે સિવાય મલ્લિકાર્જુન ખડગેએ પણ પ્રતિક્રિયા આપી હતી.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.