જૂનાગઢમાં Republic Dayની કરાઈ રાજ્યકક્ષાની ઉજવણી, આચાર્ય દેવવ્રતે ધ્વજ ફરકાવ્યો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-26 10:38:28

26 જાન્યુઆરી તેમજ 15 ઓગસ્ટના દિવસે લોકોમાં રહેલી દેશભક્તિ ચરમસીમાએ હોય છે. દેશ માટે કંઈ કરી દેખાડવાની ભાવના આ દિવસો દરમિયાન જોવા મળતી હોય છે. આજે દેશ 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. દિલ્હીના કર્તવ્ય પથ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ આ વખતે મુખ્ય અતિથિ બન્યા છે. રાજ્યકક્ષાએ આ તહેવારની ઉજવણી જૂનાગઢ ખાતે કરવામાં આવી છે. જૂનાગઢના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ગુજરાતના રાજ્યપાલે રાષ્ટ્રધ્વજ ફરકાવીને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા.

આચાર્ય દેવવ્રતે કર્યું ધ્વજારોહણ 

દેશ આજે 75મો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યો છે. જૂનાગઢ ખાતે રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના પોલીસ વિભાગ દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાજ્યપાલે આ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ધ્વજવંદન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત હતા. ગુજરાત પોલીસના જવાનો વિવિધ કરતબોનું પ્રદર્શન કરી રહ્યા છે. 256 જવાનોએ 512 મશાલ સાથે ભવ્ય અને દર્શનીય મશાલ પીટી કાર્યક્રમ રજૂ કર્યો હતો. ધ્વજવંદન બાદ જવાનો દ્વારા બાઈક સ્ટંટ, અશ્વ તેમજ શ્વાન દળનો શો તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.


અલગ અલગ જગ્યાઓ પર કરાશે પ્રજાસત્તાક દિવસની ઉજવણી 

રાજ્યકક્ષાની ઉજવણી ભલે જૂનાગઢમાં થઈ રહી છે પરંતુ અલગ અલગ જગ્યાઓ પર નેતાઓએ, અધ્યક્ષ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર વિધાનસભા અધ્યક્ષ શંકરચૌધરી ગાંધીનગરમાં આ દિવસની ઉજવણી કરશે. પંચમહાલ ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ તેમજ રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેક્ટર વિવિધ જિલ્લા મથકો ખાતે આ દિવસની ઉજવણી કરશે. જમાવટ પરિવાર તરફથી આપ સર્વેને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ.. જય હિંદ.. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!