રાજ્ય સરકારની કેબિનેટ મિટિંગ આજે ગાંધીનગરમાં યોજાઈ, જાણો બેઠકમાં શું લોકોપયોગી નિર્ણયો લેવામાં આવ્યા


  • Published By :
  • Published Date : 2023-07-05 21:04:49

રાજ્ય સરકારની કેબિનેટ મિટિંગ આજે ગાંધીનગરમાં યોજાઈ હતી, CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની આ બેઠકમાં કેટલાક મહત્વના અને લોકઉપયોગી નિર્ણયો લેવામાં આવ્યા હતાં. જેમાં બહુચરાજી માતાના મંદિરનું નવીનીકરણ, PM-JAY યોજના હેઠળ 5 લાખના બદલે 10 લાખ રૂપિયા સહાય, બિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્તોને સહાય પેકેજ,  કાયદા વિભાગ દ્વારા 9 નોડલ અધિકારીની નિમણૂંક સહિતનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારાના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજીને સરકારના આ તમામ નિર્ણયો અંગે સવિસ્તાર માહિતી આપી હતી.


PM-JAY યોજનાના લાભાર્થીઓને બમણો લાભ


રાજ્ય સરકારે ગરીબો માટે મહત્વનો નિર્ણય લેતા PM-JAY યોજના હેઠળ 5 લાખના બદલે 10 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી હતી. તે આગામી 11 જુલાઈથી લાગુ કરવામાં આવશે. આયુષ્યમાન કાર્ડધારકોને 10 લાખ રૂપિયા સુધીની સહાય મળશે. સરકારના આ નિર્ણયથી રાજ્યના 1.78 કરોડ આયુષ્માન કાર્ડધારકોને લાભ મળશે. આ અંગે માહિતી આપતા આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું કે હવે 5 લાખને બદલે આયુષ્યમાન કાર્ડમાં 10 લાખની સહાય મળશે.


બહુચરાજી મંદિરનું શિખર 86.1 ફૂટ કરાશે


ગુજરાતના ધાર્મિક સ્થાનોમાં કરોડોના ખર્ચે વિકાસ કાર્યો થશે. આજની બેઠકમાં બેચરાજીમાં આવેલા બહુચરાજી માતાના મંદિરનું નવીનીકરણ કરવામાં આવશે તેવો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવીનીકરણ માટે 70 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. નવીનીકરણમાં મંદિરના શિખરની ઉંચાઈ વધારીને 86.2 ફૂટ કરવામાં આવશે.


બિપોરજોય વાવાઝોડાના અસરગ્રસ્તોને સહાય


બિપરજોય વાવાઝોડાથી બાગાયતી પાકને થયેલા નુકસાનીનો અહેવાલ તૈયાર કરી નાંખવામાં આવ્યો છે. ત્યારે ટૂંક સમયમાં જ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવશે. અસરગ્રસ્ત 10 જિલ્લાઓમાં રાજ્ય સરકારે 11.60 કરોડ રૂપિયાની નુકસાની વળતર ચૂકવ્યું હોવાનું નિવેદન ઋષિકેશ પટેલે આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં સરકારે પશુ મૃત્યુ, કાચા મકાનમાં આંશિક નુકસાન જેવા કેસમાં કેશડોલ્સ ચૂકવી દીધી છે. બાગાયતમાં જે નુકસાન થયું છે તે બાબતે હજુ સરકાર સહાય આપવામાં વિચાર કરી રહી છે.મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને કૃષિપ્રધાન વચ્ચેની બેઠક બાદ બાગાયત પાકના સહાય બાબતનો મહત્વનો નિર્ણય લેવામાં આવશે જે ટૂંક સમયમાં રાજ્ય સરકાર જાહેરાત કરશે.


શૈક્ષણિક સંસ્થાઓમાં કોમન કરીક્યુલમ


આજે કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે નવી શિક્ષણ નીતિ અંતર્ગત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતની તમામ ખાનગી અને સરકારી યુનિવર્સિટી, કોલેજ તથા માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્ક દાખલ કરવામાં આવશે. જેનો રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષ 2023-24થી ફરજીયાતપણે કરવાનો રહેશે.


કાયદા વિભાગ દ્વારા 9 નોડલ અધિકારીની નિમણૂક


ગુજરાત હાઈકોર્ટમાં વધી રહેલા કેસના ભારણને ઘટાડવા સરકારને હાઈકોર્ટમાંથી સમયસર માહિતી મળી રહે તે માટે કાયદા વિભાગ દ્વારા 9 નોડલ અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે. આગામી દિવસોમાં જિલ્લા કોર્ટમાં પણ આ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!