ખાનગી-સરકારી સ્કૂલોને રાજ્ય સરકારનો મહત્વનો આદેશ, શિક્ષણ વિભાગનો પરિપત્ર જાહેર


  • Published By :
  • Published Date : 2023-04-29 18:12:42

ગુજરાત સરકારે રાજ્યમાં બાલવાટિકા શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે આ અંગે પરિપત્ર પણ જાહેર કરી દીધો છે. આ બાલવાટિકા સરકારી અને ખાનગી સ્કૂલોએ પોતાના કેમ્પસમાં જ શરૂ કરવાની રહેશે. તે ઉપરાંત બાળકને ધોરણ 1 માં 6 વર્ષ થયા બાદ જ પ્રવેશ આપવાનો રહેશે જે બાબતે નવી શિક્ષણ નીતિને લઈને પણ શિક્ષણ વિભાગનો પરિપત્ર બહાર પાડ્યો છે. 


નવી શિક્ષણ અંતર્ગત પરિપત્ર


રાજ્ય સરકારે નવી શિક્ષણ નીતિ અંતર્ગત 5 વર્ષની ઉંમરથી 6 વર્ષ સુધી આપવામાં આવતું શિક્ષણ બાલવાટિકા તરીકે ઓળખાશે. તેમજ પ્રાથમિક શાળામાં જ બાલવાટિકા શરૂ કરવામાં આવશે તેવું પરિપત્રમાં જણાવ્યું છે. 1 જૂન 2023ના રોજ 5 વર્ષ પૂર્ણ કરનાર બાળકને બાલવાટિકામાં પ્રવેશ મળશે તેમજ 1 જૂન 2023ના રોજ 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકને જ પહેલા ધોરણમાં પ્રવેશ મળશે તેમજ બાલવાટિકામાં PTC, ડિપ્લોમા, બીએડ શિક્ષકોની નિમણૂક કરી શકાશે. 


5 વર્ષથી વધુના બાળકોને જ બાલવાટિકામાં પ્રવેશ


રાજ્ય સરકારે 6 વર્ષ પૂર્ણ ન થતા હોય તે બાળકોને ધ્યાનમાં રાખીને બાલવાટિકામાં પ્રવેશ આપવાનો વચગાળાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા બાલવાટિકા શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને એ અંગેનો પરિપત્ર પણ રાજ્ય સરકાર દ્વારા કરી દેવામાં આવ્યો છે. આ બાલવાટિકામાં 1લી જૂન 2023ના રોજ જે બાળકોએ 5 વર્ષ પૂર્ણ કર્યા હશે. એવા બાળકોને આ વર્ષથી જ બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે. આ સંદર્ભનો પણ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિવાય B.Ed અને PTC કરેલા શિક્ષકોને બાલવાટિકામાં શિક્ષણ આપવુ એ અંગેની નોંધ પણ પરિપત્રમાં દર્શાવાઈ છે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.