ખાનગી-સરકારી સ્કૂલોને રાજ્ય સરકારનો મહત્વનો આદેશ, શિક્ષણ વિભાગનો પરિપત્ર જાહેર


  • Published By :
  • Published Date : 2023-04-29 18:12:42

ગુજરાત સરકારે રાજ્યમાં બાલવાટિકા શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે આ અંગે પરિપત્ર પણ જાહેર કરી દીધો છે. આ બાલવાટિકા સરકારી અને ખાનગી સ્કૂલોએ પોતાના કેમ્પસમાં જ શરૂ કરવાની રહેશે. તે ઉપરાંત બાળકને ધોરણ 1 માં 6 વર્ષ થયા બાદ જ પ્રવેશ આપવાનો રહેશે જે બાબતે નવી શિક્ષણ નીતિને લઈને પણ શિક્ષણ વિભાગનો પરિપત્ર બહાર પાડ્યો છે. 


નવી શિક્ષણ અંતર્ગત પરિપત્ર


રાજ્ય સરકારે નવી શિક્ષણ નીતિ અંતર્ગત 5 વર્ષની ઉંમરથી 6 વર્ષ સુધી આપવામાં આવતું શિક્ષણ બાલવાટિકા તરીકે ઓળખાશે. તેમજ પ્રાથમિક શાળામાં જ બાલવાટિકા શરૂ કરવામાં આવશે તેવું પરિપત્રમાં જણાવ્યું છે. 1 જૂન 2023ના રોજ 5 વર્ષ પૂર્ણ કરનાર બાળકને બાલવાટિકામાં પ્રવેશ મળશે તેમજ 1 જૂન 2023ના રોજ 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકને જ પહેલા ધોરણમાં પ્રવેશ મળશે તેમજ બાલવાટિકામાં PTC, ડિપ્લોમા, બીએડ શિક્ષકોની નિમણૂક કરી શકાશે. 


5 વર્ષથી વધુના બાળકોને જ બાલવાટિકામાં પ્રવેશ


રાજ્ય સરકારે 6 વર્ષ પૂર્ણ ન થતા હોય તે બાળકોને ધ્યાનમાં રાખીને બાલવાટિકામાં પ્રવેશ આપવાનો વચગાળાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા બાલવાટિકા શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને એ અંગેનો પરિપત્ર પણ રાજ્ય સરકાર દ્વારા કરી દેવામાં આવ્યો છે. આ બાલવાટિકામાં 1લી જૂન 2023ના રોજ જે બાળકોએ 5 વર્ષ પૂર્ણ કર્યા હશે. એવા બાળકોને આ વર્ષથી જ બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે. આ સંદર્ભનો પણ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિવાય B.Ed અને PTC કરેલા શિક્ષકોને બાલવાટિકામાં શિક્ષણ આપવુ એ અંગેની નોંધ પણ પરિપત્રમાં દર્શાવાઈ છે.




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!