શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ ભાવનગરમાં બાળપણની શાળાની લીધી મુલાકાત, સંસ્મરણો વાગોળ્યા


  • Published By :
  • Published Date : 2023-08-20 18:03:25

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના મંત્રીઓ વિવિધ જિલ્લાનો શૈક્ષણિક પ્રવાસ કરી રહ્યા છે. આ જ અનુક્રમે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ભાવનગર જિલ્લાના શૈક્ષણિક પ્રવાસ કર્યો  હતો. તેમણે તેમના આ કાર્યક્રમ અંતર્ગત બાળપણમાં તેઓ જે શાળામાં ભણ્યા હતા તે ઘરશાળાની મુલાકાત લીધી હતી. જે દરમિયાન તેમણે ગુરૂજનો અને આચાર્યને મળી તેમનું સન્માન કરી જૂની યાદો વાગોળી હતી. 


ઘડતરમાં શાળામાં મળેલા સંસ્કારનો મોટો ફાળો


આ તકે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, 'મારા બાળ ઘડતરમાં આ શાળામાં મળેલા સંસ્કારનો મોટો ફાળો રહ્યો છે. બાળપણમાં જે શાળામાં ભણ્યા હોઈએ ત્યાં વર્ષો પછી ફરી જવાનું થાય ત્યારે તેનો આનંદ અવર્ણીય હોય છે. ભાવનગર જિલ્લાના શૈક્ષણિક પ્રવાસ અંતર્ગત ઘરશાળામાં જઈને ભૂતકાળ જાણે કે ફરી જીવંત થઈ ગયો. આ શાળામાં અભ્યાસ દરમિયાન કરેલ વિવિધ સામાજિક પ્રવૃતિઓ અને સેવાકીય કાર્યોની યાદો તાજી થઈ.'

 

સંસ્મરણો વાગોળ્યા


આ મુલાકાત અંગે પ્રફુલભાઈ પાનશેરીયાએ વધુમાં કહ્યું કે 'મારા પૂજ્ય ગુરૂજનો અને આચાર્યને મળી સન્માન કરી જૂની યાદો તાજા કરવાનો અવસર મળ્યો. સહાધ્યાયી મિત્રોને મળીને જુના સંસ્મરણો વાગોળ્યા હતા, શાળા પરિવાર સાથે વાર્તાલાપ કરવાનો અનુભવ પણ ખુબજ ભાવપૂર્ણ રહ્યો. શાળામાં ભણાવતા શિક્ષકોને જીવનના ઘડતર અંગે તેમજ વિદ્યાર્થીઓ પ્રત્યે કઈ રીતે વર્તન કરી શકાય તેં અંગે સમજણ આપી. જનકલ્યાણ અને રાજ્યની સેવા કરવાનું દાયિત્વ શ્રેષ્ઠ રીતે નિષ્ઠાપૂર્વક નિભાવી શકું તેવા સંસ્કાર ઘડતર બદલ હું આ ઘરશાળા સંસ્થાનો સદાય ઋણી રહીશ.'






21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.