તલાટીની પરીક્ષાના 8.50 લાખ પરીક્ષાર્થીઓના કારણે ST તંત્રને રૂ.10 કરોડથી વધુની થઈ આવક, આ ST ડિવિઝન રહ્યું મોખરે


  • Published By :
  • Published Date : 2023-05-08 21:55:02

સમગ્ર રાજ્યમાં રવિવારે પંચાયત સેવા વર્ગ-3ની તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા યોજાઈ હતી. રાજ્યના કુલ 2697 પરીક્ષા કેન્દ્રો પર 28,814 વર્ગખંડમાં 8.50 લાખ પરીક્ષાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. આ પરીક્ષાના ઉમેદવારોને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પહોંચાડવા માટે એસટી વિભાગનો પણ મહત્ત્વનો ફાળો રહ્યો હતો. જેના કારણે ફાયદો એસટી વિભાગને પણ જબરદસ્ત આર્થિક ફાયદો થયો છે. ગુજરાત એસટી વિભાગે માત્ર એક જ દિવસમાં 10 કરોડ કરતાં વધુની આવક રળી હતી. એમાં મહેસાણા ડિવિઝન એક કરોડ કરતાં વધુ આવક સાથે રાજ્યમાં ટોપ પર રહ્યું છે.


એસટી વિભાગે કર્યું  3650 એકસ્ટ્રા ટ્રિપનું આયોજન 


તલાટીની પરીક્ષાને લઈ ગુજરાત એસટી વિભાગ દ્વારા સરસ માઈક્રો પ્લાનિંગ કરાયું હતું અને દરેક જિલ્લામાં કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયો હતો. એક જ દિવસમાં ગુજરાત એસટીએ 3650 એકસ્ટ્રા ટ્રિપનું આયોજન કરતાં રાજ્યમાં કુલ 2 લાખ 18 હજાર 902 પરીક્ષાર્થીઓએ એસટી બસમાં મુસાફરી કરી હતી. આ કારણે એસટી વિભાગને કુલ 10 કરોડ રૂપિયા કરતાં વધુની આવક થઈ હતી.


મહેસાણા ડિવિઝને 500 એકસ્ટ્રા બસ દોડાવી


મહેસાણા એસટી ડિવિઝન દ્વારા રવિવારે પરીક્ષાના દિવસે વહેલી સવારથી લઈ મોડી રાત્રિ સુધી બસો દોડાવવામાં આવી હતી. મહેસાણા ડિવિઝનના 12 એસટી ડેપો પરથી તલાટીની પરીક્ષા માટે કુલ 500 એકસ્ટ્રા ટ્રિપોનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણા ડિવિઝનમાં જ 30 હજાર કરતાં વધુ પરીક્ષાર્થીઓએ એસટી બસમાં મુસાફરી કરી હતી. જેના ફળ સ્વરૂપે મહેસાણા ડિવિઝનને એક જ દિવસમાં 1 કરોડ 3 લાખ રૂપિયાની બમ્પર આવક થઈ છે, જે રાજ્યમાં એસટી વિભાગના 16 ડિવિઝનમાં સૌથી વધુ છે. આમ કમાણીની દ્રષ્ટીએ મહેસાણા ડિવિઝન રાજ્યમાં મોખરે રહ્યું હતું 


મહેસાણા ડિવિઝનને કેટલી આવક થઈ?


મહેસાણા ડિવિઝનમાં આવતા 12 ડેપોની એક જ દિવસમાં 1 કરોડ થી વધુ આવક મેળવી છે. જેમાં બેચરાજી એસટી ડેપોએ 7.20 લાખ,ચાણસ્મા ડેપોએ 6.58 લાખ,હારીજ ડેપોએ 6.96 લાખ, કડી ડેપોએ 10.19 લાખ, કલોલ ડેપોએ 9 લાખ,ખેરાલુ ડેપોએ 8.70 લાખ,મહેસાણા ડેપોએ 11.62 લાખ,પાટણ ડેપોએ 10.95 લાખથી વધુ, ઊંઝા ડેપોએ 7.64 લાખ,વડનગર ડેપોએ 7.11 લાખ, વિજાપુર ડેપોએ 8.27 લાખ, વિસનગર ડેપોએ 9 લાખની આવક મેળવી હતી. આમ કુલ 12 ડેપોએ રૂ. 1,03.31.432 ની કમાણી કરી હતી.



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?