હવે એસ.ટી વિભાગના કર્મચારીઓનો વિરોધ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 16:44:23

ગુજરાતમાં આંદોલનનો દોર ચાલી રહ્યો છે. એક પછી એક સરકાર આંદોલનોનો સામનો કરી રહી છે. વિધાનસભા ચૂંટણી નજીક આવતા લોકો સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે હવે એસ.ટી બસ વિભાગના કર્મચારીઓ સરકાર વિરૂદ્ધ આંદોલન કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. સરકાર સુધી પોતાની માગણીને રજૂ કરવા એસ.ટી વિભાગના કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરી વિરોધ નોંધાવ્યો હતો.  


એસ.ટી વિભાગના કર્મચારીઓ પણ આંદોલનના માર્ગ પર 

એક બાદ એક સરકારી કર્મચારીઓ સરકાર વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા છે. આરોગ્ય કર્મીઓ હોય, શિક્ષક હોય કે પછી ખેડૂત હોય બધાએ સરકાર વિરૂદ્ધ બાંયો ચઠાવી છે. ત્યારે હવે એસ.ટી વિભાગના કર્મચારીઓ પણ આંદોલનના માર્ગે ચાલી રહ્યા છે. પડતર માગણીને લઈ એસ.ટી બસના કર્મચારીઓ 3 દિવસ કાળી પટ્ટી પહેરી પોતાનો વિરોધ નોંધાવાના છે. એસ.ટી કર્મચારીઓ તમામ ડેપો, વર્કશોપમાં કાળી પટ્ટી પહેરી પોતાની માગ સરકાર સુધી પહોચાડવાનો પ્રયાસ કરવાના છે.  


કર્મચારીઓએ ઉગ્ર આંદોલન કરવાની આપી ચીમકી 

જો સરકાર એસ.ટી કર્મચારીઓની માગણીઓને નહીં સ્વીકારે તો, એસ.ટી વિભાગના કર્મચારીઓ 22 સપ્ટેમ્બરથી ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી તેમણે ઉચ્ચારી છે. તમામ કર્મચારીઓ 22 સપ્ટેમ્બરની મધરાતથી આંદોલન પર ઉતરશે. એસ.ટી કર્મચારીઓ આંદોલન પર ઉતરશે તો એસ.ટી બસ સેવા ખોરવાઈ જશે.  




નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.