હવે એસ.ટી વિભાગના કર્મચારીઓનો વિરોધ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 16:44:23

ગુજરાતમાં આંદોલનનો દોર ચાલી રહ્યો છે. એક પછી એક સરકાર આંદોલનોનો સામનો કરી રહી છે. વિધાનસભા ચૂંટણી નજીક આવતા લોકો સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે હવે એસ.ટી બસ વિભાગના કર્મચારીઓ સરકાર વિરૂદ્ધ આંદોલન કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. સરકાર સુધી પોતાની માગણીને રજૂ કરવા એસ.ટી વિભાગના કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરી વિરોધ નોંધાવ્યો હતો.  


એસ.ટી વિભાગના કર્મચારીઓ પણ આંદોલનના માર્ગ પર 

એક બાદ એક સરકારી કર્મચારીઓ સરકાર વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા છે. આરોગ્ય કર્મીઓ હોય, શિક્ષક હોય કે પછી ખેડૂત હોય બધાએ સરકાર વિરૂદ્ધ બાંયો ચઠાવી છે. ત્યારે હવે એસ.ટી વિભાગના કર્મચારીઓ પણ આંદોલનના માર્ગે ચાલી રહ્યા છે. પડતર માગણીને લઈ એસ.ટી બસના કર્મચારીઓ 3 દિવસ કાળી પટ્ટી પહેરી પોતાનો વિરોધ નોંધાવાના છે. એસ.ટી કર્મચારીઓ તમામ ડેપો, વર્કશોપમાં કાળી પટ્ટી પહેરી પોતાની માગ સરકાર સુધી પહોચાડવાનો પ્રયાસ કરવાના છે.  


કર્મચારીઓએ ઉગ્ર આંદોલન કરવાની આપી ચીમકી 

જો સરકાર એસ.ટી કર્મચારીઓની માગણીઓને નહીં સ્વીકારે તો, એસ.ટી વિભાગના કર્મચારીઓ 22 સપ્ટેમ્બરથી ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી તેમણે ઉચ્ચારી છે. તમામ કર્મચારીઓ 22 સપ્ટેમ્બરની મધરાતથી આંદોલન પર ઉતરશે. એસ.ટી કર્મચારીઓ આંદોલન પર ઉતરશે તો એસ.ટી બસ સેવા ખોરવાઈ જશે.  




દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.