ધ્રોલ-જોડિયા-જામનગર રૂટની બસમાં સર્જાયો અકસ્માત, કાચ તૂટતા બે વિદ્યાર્થીઓ રોડ પર પટકાયા


  • Published By :
  • Published Date : 2023-04-20 16:30:13

રાજ્યમાં દરરોજ હજારો લોકો એસટી બસમાં મુસાફરી કરતા હોય છે. દરેક સીટી બસમાં એક સૂત્ર લખ્યું હોય છે. "સલામત સવારી એસટી અમારી" ત્યારે આ સુત્રને બેઈજ્જતી કરતી એક ઘટના ધ્રોલમાં સામે આવી છે. જેમાં એસ ટી બસનો પાછળ કાચ તૂટ્યો અને બે વિદ્યાર્થીઓ નીચે ખાબક્યા હતા. ધ્રોલ જોડિયા જામનગર રૂટની બસમાં આ અકસ્માત સર્જાયો હતો.


બે વિદ્યાર્થીઓ ઘાયલ થયા


સ્થાનિક સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર આ ઘટના ધ્રોલની છે જ્યાં એસટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે જેમાં ધ્રોલ જોડિયા જામનગર રૂટની બસમાંથી બે વિધાર્થી એસટી બસમાંથી નીચે ખાબક્યા હતા. બસના 125 લોકો સવાર હતા ત્યારે બસનો પાછળનો કાચ તૂટી જતા બે વિધાર્થી એસ ટી બસમાંથી નીચે ખાબકતા બે વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયા હતા. વિધાર્થીઓને સારવાર અર્થે જી જીમાં હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.


ઘાયલ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ


બંને વિદ્યાર્થી પિગળ દુષ્યંતસિંહ પ્રતાપ સિંહ (ઉ.વ 20) અને જાડેજા હરદિપસિહ પબુભા (ઉ.વ 18) જામનગરની કોલેજમાં અભ્યાસ કરતા હતા અને જામનગર આવી રહ્યા હતા. તે દરમિયાન જામનગરના ગુલાબ નગરમાં દેવિકા પાન પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસનો પાછળનો કાચ તૂટી જતા બે વિદ્યાર્થી નીચે ખાબક્યા હતા ત્યારે બંને વિદ્યાર્થીને હાથ અને માથાના ભાગે ઈજા થતા હાલ જામનગરની ગુરુ ગોવિદ સિંઘ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે ધ્રોલ જોડિયા જામનગર રૂટની માત્ર એક બસ આવતી હોવાથી મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ વિસ્તારના જોડીયા, કુનાડ, હડિયાણા, રામપર સહિતના ગામોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એપ-ડાઉન કરે છે 



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.