તલાટીની પરીક્ષા માટે કરાઈ એસટી બસની વ્યવસ્થા! પરીક્ષાના દિવસે 4 હજાર જેટલી બસો દોડશે!


  • Published By :
  • Published Date : 2023-04-29 16:27:49

આગામી 7 મેના રોજ રાજ્યમાં તલાટીની પરીક્ષા યોજાવાની છે. ગુજરાત પંચાયત પસંદગી પરીક્ષા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ઉમેદવારો સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકે તે માટે ગુજરાત એસટી નિગમ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષાના દિવસ માટે 4 હજાર જેટલી બસો ઉમેદવારો માટે મૂકવામાં આવી છે. અમદાવાદ શહેરના તમામ મહાનગરો અને જિલ્લાઓમાંથી ઉમેદવારોને કેન્દ્રના શહેર સુધી પહોંચી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. 


4 હજાર જેટલી બસોની કરાઈ વ્યવસ્થા!

સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા જૂનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી. જે બાદ ટેટ-2ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને પરીક્ષાઓ સફળતા પૂર્ણ રીતે પાર પડી હતી. લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી છે. ત્યારે હવે આગામી 7 મેના રોજ રાજ્યમાં તલાટીની પરીક્ષા યોજાવાની છે. ત્યારે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પહોંચવામાં તકલીફ ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. 4 હજાર જેટલી બસો ઉમેદવારો માટે ફાળવવામાં આવી છે. 


અમદાવાદ ખાતે શરૂ કરાયું કંટ્રોલ રૂમ!

આ અંગે ગુજરાત એસટી નિગમના મેનેજિંગ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ભૂતકાળમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી. તેવી જ રીતે તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજવા જઈ રહી છે. જેના માટે ગુજરાત એસટી નિગમ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. અંદાજીત 8.50 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે. અંદાજે બે લાખ જેટલા ઉમેદવારો બસ સેવાનો લાભ લેવાના છે. તમામ મહાનગરો અને જિલ્લાઓમાંથી ઉમેદવારોને એસટી બસની સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ ઓફિસ ખાતે ગુજરાત એસટી નિગમ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.       



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.