કાલથી ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાનો થશે પ્રારંભ, એક્ઝામ સેન્ટર્સ પર વિદ્યાર્થીઓ-વાલીઓ ઉમટ્યા


  • Published By :
  • Published Date : 2023-03-13 16:44:27

સમગ્ર રાજ્યમાં આવતી કાલ મંગળવારે એટલે કે 14 માર્ચથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો આરંભ થઇ રહ્યો છે. શિક્ષણ બોર્ડે પણ આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે સંપુર્ણ તૈયારીઓ પુરી કરી છે. બોર્ડ દ્વારા તમામ જિલ્લા કક્ષાએ સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે, આ તમામ સ્ટ્રોંગ રૂમ CCTV કેમેરાથી સુસજ્જ છે. તે જ પ્રકારે ત્યાં 24 કલાક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


વિદ્યાર્થીઓ સીટ નંબર જોવા ઉમટ્યા 


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ આજે પરીક્ષા કેન્દ્રો પર ઉમટ્યા હતા. એક દિવસ અગાઉ  પરીક્ષા કેન્દ્રો પર પહોંચેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ બેઠક વ્યવસ્થા અને બેઠક ક્રમાંક જોયો હતો. પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં સરળતા રહે તે માટે પરીક્ષાના એક દિવસ પહેલા જ વાલીઓ અને પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્રની મુલાકાત લે તે હિતાવહ માનવામાં આવે છે.


જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા


આવતી કાલથી SSC અને HSCની પરીક્ષાઓનો આરંભ થઇ રહ્યો છે. આ વર્ષે ધો. 10‌માં 9.56 લાખ વિધાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 1.10 લાખ તેમજ સામાન્ય પ્રવાહમાં 5.65 લાખ વિધાર્થીઓ પ્રથમવાર પરીક્ષા આપશે. આ માટે બોર્ડ દ્વારા રાજ્યમાં ધોરણ 10ની પરીક્ષા માટે 958 કેન્દ્રો, જયારે ધોરણ 12ના સામાન્ય પ્રવાહ માટે 525 અને વિજ્ઞાન પ્રવાહ માટે 140 કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે.


ઇલેકટ્રોનિક ગેઝેટ પર પ્રતિબંધ


પેપર લીકની ઘટનાઓ બાદ તમામ કેન્દ્રો પર શિક્ષણ બોર્ડ દ્વારા તમામ સ્કુલોમાં ઇલેકટ્રોનિક ગેઝેટ લઇ જવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરાથી તમામ સ્કુલોને સજ્જ કરી દેવામાં આવી છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ પરિક્ષા કેન્દ્ર પર પોતાની હોલ ટીકીટ ભુલી જાય તો પણ તેવા વિદ્યાર્થીઓની સ્કુલમાં સંપર્ક કરીને મોબાઇલ પર ટિકિટ મંગાવીને પરીક્ષામાં બેસવા દેવામા આવશે.  


157 કેદીઓ પણ આપશે પરીક્ષા 


વિદ્યાર્થીઓની સાથે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં 59 કેદીઓ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા આપશે. જેમાં 37 જેટલા કેદીઓ ધોરણ 10ની જ્યારે 22 કેદીઓ ધોરણ 12ની પરીક્ષા આપવાના છે. જેને લઈને સાબરમતી સેન્ટ્રલ જેલ પર એક્ઝામ સેન્ટર બનાવવામાં આવ્યા છે. તે જ પ્રકારે માત્ર અમદાવાદ જ નહિ રાજ્યના વડોરા, સુરત અને રાજકોટની મધ્યસ્થ જેલમાં પણ પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવે છે. વડોદરામાં ધોરણ 10માં 13 અને ધોરણ 12માં 6 કેદીઓ, રાજકોટમાં ધોરણ 10માં 30 અને ધોરણ 12માં 11 કેદીઓ આ ઉપરાંત સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં ધોરણ 10માં 21 અને ધોરણ 12માં 17 કેદીઓ એમ કુલ મળી 101 કેદીઓ ધોરણ 10 અને 56 કેદીઓ ધોરણ 12ની પરીક્ષા આપશે.



IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .