Vadodaraમાં SRP જવાને સર્વિસ ગનથી કરી આત્મહત્યા, જાણો આ પગલા બાદ પરિવારજનોએ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-09-16 18:20:59

વડોદરા શહેરમાં એસઆરપી ગ્રુપમાં ફરજ બજાવતા જવાને ફરજ દરમિયાન આત્મહત્યા કરી લીધી છે. એસઆરપી જવાનના આત્મહત્યા કરી લેવાને કારણે પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. એસઆરપી જવાન તરીકે છેલ્લા ઘણા સમયથી તે ફરજ નિભાવતા હતા. આ મામલે જણાવ્યું હતું કે એસઆરપી જવાન ઘણા સમયથી બીમાર હતા જેને કારણે તેમણે આ પગલું ભર્યું હોય તેવું માનવામાં આવી રહ્યા છે. એસઆરપી જવાનના મૃતદેહને હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


પોતાની સર્વિસ ગનથી જવાને ભર્યું આ પગલું  

આત્મહત્યા કરવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. નાની નાની બાબતોને મન પર ધ્યાન રાખી લોકો પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. સ્ટ્રેસ હોવાને કારણે, ડ્યુટી પર પ્રેશર હોવાને કારણે પણ અનેક લોકો આત્મહત્યા કરી લેતા હોય છે. ત્યારે વડોદરામાં એક એસઆરપી જવાને પોતાનું જીવન આત્મહત્યા કરી ટૂંકાવ્યું છે. પોતાની સર્વિસ જનથી તેમણે આત્મહત્યા કરી લીધી છે. 


ગંભીર બિમારીને કારણે ટૂંકાવ્યું છે જીવન 

મળતી માહિતી અનુસાર જે એસઆરપી જવાને પોતાનું જીવન ટૂંકાવ્યું છે તે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ફતેપુરા ગામના વતની છે. એસઆરપી જવાન તરીકે તે વડોદરાના લાલબાગ ખાતે ફરજ નિભાવતા હતા અને તેમણે પોતાના સર્વિસ ગનથી આત્મહત્યા કરી લીધી છે. એસઆરપી જવાનના આ પગલાને કારણે પરિવારમાં તેમજ કર્મચારીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મહત્વનું છે કે ફતેપુરા ગામના પ્રવીણાભાઈના ત્રણ સંતાનો છે. છેલ્લા 28 વર્ષથી તેઓ એસઆરપીમાં ફરજ નિભાવી રહ્યા હતા. પરિવારના સભ્યોએ જણાવ્યું કે તેઓ ગંભીર બિમારીનો શિકાર હતા જેને કારણે તેમણે આ પગલું ભર્યું હોય તેવું અનુમાન છે. મહત્વનું છે કે આવા કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે.     




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.