ટ્વિટરના નવા CEO બની શકે છે શ્રીરામ કૃષ્ણન, એલન મસ્કે નવી ટીમમાં કર્યા સામેલ


  • Published By :
  • Published Date : 2022-10-31 19:38:42


પરાગ અગ્રવાલ પછી કોણ બનશે ટ્વિટરના નવા CEO? આ એક મોટો પ્રશ્ન બની ગયો છે. દરમિયાન જે સંકેતો મળી રહ્યા છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે ભારતીય મૂળની વ્યક્તિ પરાગનું સ્થાન લેશે. ટ્વિટરની માલિકી પ્રાપ્ત કર્યા પછી, મસ્કએ ઉતાવળમાં ઘણા ટોચના અધિકારીઓને દૂર કર્યા. આ પછી તેણે ભારતીય મૂળના શ્રીરામ કૃષ્ણનને હંગામીપણે તેમની સાથે જોડ્યા છે. કૃષ્ણન 16Zમાં જનરલ પાર્ટનર છે. ક્રિષ્નને આ અંગે ટ્વિટ પણ કર્યું છે.


ક્રિષ્નનનો ઉછેર ચેન્નાઈમાં નિમ્ન મધ્યમ વર્ગ પરિવારમાં થયો


શ્રીરામ કૃષ્ણન ભારતના ચેન્નાઈમાં ઉછર્યા અને ભણ્યા છે. અહીં તેમનો જન્મ એક નિમ્ન મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. કૃષ્ણનના પિતા વીમા કંપનીમાં કામ કરતા હતા અને માતા ગૃહિણી હતી. શ્રી રામની તેમની પત્ની આરતી સાથેની મુલાકાત પણ ખૂબ જ રસપ્રદ છે. 2002માં બંનેની મુલાકાત યાહૂ મેસેન્જર પર થઈ હતી. ત્યારથી, બંને કુલ 20 વર્ષ સુધી સાથે છે. 2005 માં, તેઓ અમેરિકાના સિએટલ ચાલ્યા ગયા હત અને માઇક્રોસોફ્ટમાં નોકરી શરૂ કરી. તે સમયે શ્રીરામ કૃષ્ણનની ઉંમર 20 વર્ષની હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.