SpiceJetની મોટી છટણીની તૈયારી! એરલાઇન 1,400 કર્મચારીઓની કરશે હકાલપટ્ટી


  • Published By :
  • Published Date : 2024-02-16 18:56:07

એવિયેશન સેક્ટરની દિગ્ગજ કંપની સ્પાઈસજેટ (SpiceJet) પર રોકડની તંગીની અસર વધુ ઘેરી બનતી જણાય છે. આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કર્મચારીઓના પગારમાં ઘણા મહિનાઓ સુધી વિલંબ થયા બાદ હવે એરલાઇન કંપનીમાં મોટી છટણી (Layoff) થવા જઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર, કંપનીએ તેના કુલ વર્કફોર્સમાં લગભગ 15 ટકા કાપ મૂકવાની તૈયારી કરી છે.


15% વર્કફોર્સમાં કાપ મૂકવાનો નિર્ણય


પહેલાથી જ રોકડની તંગીનો સામનો કરી રહેલી સ્પાઈસજેટે ખર્ચમાં ઘટાડો કરવાના હેતુંથી છટણીનો આ નિર્ણય લીધો છે. હાલમાં, લગભગ 9,000 કર્મચારીઓ એરલાઇનમાં કામ કરી રહ્યા છે અને તેમાં 15 ટકાનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આ આંકડો લગભગ 1400 કર્મચારીઓનો છે. ETના રિપોર્ટ મુજબ, બજેટ એરલાઈને છટણી (Spicejet Layoff)ની કથિત પુષ્ટિ કરી છે અને આ પગલું ઓપરેશનલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે.


છટણીની તૈયારીઓ શા માટે?

 

નાણાંકીય કટોકટીનો સામનો કરી રહેલી સ્પાઈસજેટ એરલાઈન્સે કંપનીમાં રોકાણકારોનો રસ જાળવી રાખવા અને રોકડની અછતને દૂર કરવા માટે ખર્ચમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ અનુસાર, કંપની કેટલાક રોકાણકારો પાસેથી રૂ. 2,200 કરોડની મૂડી મેળવવાની પ્રક્રિયામાં છે. એરલાઈને જણાવ્યું હતું કે ફંડિંગ પ્રોજેક્ટ્સ ટ્રેક પર છે અને ટૂંક સમયમાં જાહેરાતની અપેક્ષા છે.



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.