રખડતા ઢોર પર નિયંત્રણ રાખવા તૈયાર કરાયું ખાસ સોફ્ટવેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 15:30:15

રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. રખડતા ઢોરને કારણે અનેક લોકોના મોત થયા છે તો અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચતી હોય છે. ત્યારે પશુ માલિકની જાણકારી પોલીસને સરળતાથી મળી રહે તે માટે કેટલ ઈન્ફોર્મેશન સિસ્ટમ સોફ્ટવેર તૈયાર કરાઈ રહ્યું છે. ત્યારે વડોદરા મહાનગર પાલિકા થોડા સમયમાં આવી સિસ્ટમ લોંચ કરવા જઈ રહી છે. જેમાં પ્લાસ્ટિક ટેગના આધારે ગાયોનું ટ્રેકીંગ કરવામાં આવશે.

પશુ માલિકની સરળતાથી મળી શકશે જાણકારી   

રખડતા પશુને કારણે અનેક વખત મુસીબતનો સામનો સામાન્ય માણસને કરવો પડે છે. રસ્તા પરથી રખડતા ઢોરને હટાવવા જ્યારે પોલીસ નિકળે છે ત્યારે ગાયના માલિક કોણ છે તે જાણવામાં ઘણી મુશ્કેલી પડે છે. પશુઓના માલિક વિશે માહિતી મેળવવા પોલીસે પાલિકા પાસે સંપર્કમાં રહેવું પડતું હતું જેને લઈ રખડતા ઢોરનો પ્રશ્નનો ઉકેલવામાં મુશ્કેલી પડે છે. ત્યારે હવે કેટલ ઈન્ફોર્મેશન સિસ્ટમ આવી જવાથી માલિકની માહિતી સરળતાથી મેળવી શકાશે. કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા ટેગના આધારે પશુ માલિકનો આધાર કાર્ડ, મોબાઈલ નંબર, તેમજ સરનામું મળી રહેશે. રખડતાં પશુના કાનમાં લાગેલા પ્લાસ્ટિક ટેગ નંબરને આધારે પશુમાલિકની તમામ વિગતો મળી શકશે.

 રખડતાં ઢોરના ત્રાસ વચ્ચે VMCની મોટી કાર્યવાહી | Sandesh

રસ્તા પર ચાલતા લોકોને પણ અનેક વખત રખડતા પશુઓથી નુકસાન પહોંચતું હોય છે. વાહન ચાલકોને પણ આને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે કેટલ ઈન્ફોર્મેશન સિસ્ટમ દ્વારા  રખડતા પશુઓની સમસ્યાનો અંત આવશે કે નહીં તે જોવું રહ્યું.

 



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.