Parliamentમાં આજથી વિશેષ સત્રનો થશે પ્રારંભ, પીએમ મોદી આજે કરી શકે છે સંબોધન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-18 10:25:51

આજથી સંસદના વિશેષ સત્રનો પ્રારંભ થવાનો છે. નવા સંસદ ભવન ખાતે પાંચ દિવસીય સત્રની શરૂઆત આજથી  થવાની છે. 18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી આ વિશેષ સત્ર દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. અનેક વિશેષ બિલ રજૂ કરવામાં આવી શકે છે. આ સત્રની વિશેષતા એ છે કે નવા સંસદ ભવનમાં આ સત્ર મળવાનું છે. જૂના સંસદ ભવનનો આજે અંતિમ દિવસ છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે 11 વાગ્યે પીએમ મોદી લોકસભામાં સંબોધન કરી શકે છે.

વિશેષ સત્રને લઈ વિપક્ષે સરકારને લખી હતી ચિઠ્ઠી 

18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી સંસદમાં વિશેષ સત્રનો પ્રારંભ થવાનો છે. અનેક મુદ્દાઓને લઈ આ વિશેષ સત્રમાં ચર્ચા થઈ શકે છે. આ વિશેષ સત્રને લઈ કેન્દ્ર સરકાર અને વિપક્ષ બંને દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. વિશેષ સત્ર બોલાવવા પાછળનો હેતુ શું છે તે જાણવા માટે સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો હતો. તે બાદ વિશેષ સત્રમાં કયા મુદ્દે ચર્ચા થશે તેની જાણકારી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી હતી. ચાર વિષયો પર ચર્ચા કરવામાં આવશે તેવી માહિતી કેન્દ્ર સરકાર દ્વારા આપવામમાં આવી હતી.


સંસદમાં આ મુદ્દાઓ પર થશે ચર્ચા 

સંસદમાં સત્ર શરૂ થાય તે પહેલા ગઈકાલે એટલે કે 17 સપ્ટેમ્બરના દિવસે દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નવા સંસદ ભવન ખાતે તિરંગો ફરકાવ્યો હતો. આજથી આ વિશેષ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. જે બિલ પર આ વિશેષ સત્ર દરમિયાન ચર્ચા કરવામાં આવશે તેની વાત કરીએ તો મુખ્ય ચૂંટણી અને અન્ય ચૂંટણી કમિશનરો બિલ 2023, એડવોકેટ્સ એમેન્ડમેન્ટ બિલ 2023, પ્રેસ અને રજૂસ્ટ્રેશન ઓફ પીરિયોડિકલ્સ બિલ 2023 તેમજ પોસ્ટ ઓફિસ બિલ 2023 અંગે ચર્ચા થઈ શકે છે.    


   


21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.