લો બોલો કોંગ્રેસના નેતા ભૂલ્યા ભાન! અતીકની કબર પર નેતાએ રાખ્યો રાષ્ટ્રધ્વજ અને ભારત રત્નની કરી માગ કરતો વીડિયો થયો વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-04-20 17:24:24

થોડા સમય પહેલા અતીક અહેમદની હત્યા કરી દેવામાં આવી હતી. માફિયાની હત્યા બાદ સોશિયલ મીડિયા પર કોંગ્રેસના નેતાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એ વાયરલ વીડિયોમાં કોંગ્રેસના નેતા અને પ્રયાગરાજના કાઉન્સિલર ઉમેદવાર રજ્જૂ ભૈયા ઉર્ફે રાજકુમારે અતીક અહેમદને ભારત રત્ન આપવામાં આવે તેવી માગ કરી છે. તે સિવાય વધુ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં રાજકુમાર અતીક અને અશરફની કબર પર તિરંગો બીછાવી રહ્યા હતા. મળતી માહિતી અનુસાર વીડિયો વાયરલ થયા બાદ રાજકુમારની અટકાયત કરી લેવામાં આવી હતી.અને મળતી માહિતી અનુસાર પાર્ટીએ તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.

          

અતીકની કબર પર નેતાએ તિરંગો ચઢાવ્યો!

કડક પોલીસ સુરક્ષા વચ્ચે ઉત્તરપ્રદેશના માફિયા ગણતા અતીક અહેમદની હત્યા કરવામાં આવી હતી. અતીકની હત્યા થઈ તેના થોડા દિવસ પહેલા તેના પુત્રનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. અતીકની હત્યા બાદ તેની લાશને કબરમાં દફનાવવામાં આવી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર કોંગ્રેસના નેતાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં નેતા અતીક અહેમદને ભારત રત્ન આપવો જોઈએ તેવી રજૂઆત કરી રહ્યા છે. તે ઉપરાંત અતીકની કબર પર નેતાએ તિરંગો પણ રાખ્યો હતો.    

     

અતીક અહેમદ માટે ભારત રત્નની કરી માગ!

અતીક અહેમદની હત્યા થઈ તે બાદ તેમનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે અતીક અહેમદનું યોગી સરકારે મર્ડર કર્યું છે. અતીક અહેમદ સાંસદ હતા. તેમને રાજકીય સન્માન સાથે દફનાવવા જોઈએ. જે બાદ તેમનો વધુ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ કબરની સામે ઉભા છે અને અતીકને ભારત રત્નની માગ કરી છે. જેમાંથી એક પર તિરંગો બીછાવીને અતીક અહેમદના નારા પણ લગાવ્યા હતા. જે નેતાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે કોંગ્રેસ પાર્ટીના જૂના નેતા હતા.  


વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસના નેતા વિરૂદ્ધ થઈ કાર્યવાહી!

પ્રયાગરાજની શહેર કોંગ્રેસ કમિટીએ પોતાના લેટર હેડ પર કોંગ્રેસ નેતાને સસ્પેન્ડ કરવાનો આદેશ જાહેર કર્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે કોંગ્રેસે વોર્ડ નંબર 43થી કાઉન્સિલરના ઉમેદવાર રાજકુમાર સિંહ રજ્જુને કાઢી મૂક્યા છે. આ અંગેની માહિતી આપતા શહેર કોંગ્રસ કમિટીના અધ્યક્ષ પ્રદિપ મિશ્રાએ જણાવ્યું કે માફિયા અતીક અહેમદને લઈને આપવામાં આવેલા નિવદેનને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે. પાર્ટી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે મળતી માહિતી અનુસાર રાષ્ટ્રધ્વજનું અપમાન પણ કરવા બદલ તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.    



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!