અવકાશમાં અટવાયેલા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર માર્ચ મહિનામાં 19મી તારીખે પૃથ્વી પર પરત ફરશે


  • Published By : Admin
  • Published Date : 2025-02-26 20:41:48



એક સપ્તાહ માટે અવકાશમાં ગયેલા સુનિતા વિલિયમ્સ અને તેના સાથી અવકાશયાત્રી બુચ વિલ્મોર ક્યારે પૃથ્વી પર પરત આવશે તેની સૌ કોઈ પ્રતિક્ષા કરી રહ્યું છે એ બધાની વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર માર્ચ મહિનામાં પૃથ્વી પર પરત ફરે તેના માટે તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. 


અમેરિકાના અને મૂળ ભારતીય અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના સાથી બુચ વિલ્મોર બંને 2025ની 19મી માર્ચે પૃથ્વી પર પરત ફરશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. અમેરિકાની ટેલિવિઝન ન્યુઝ ચેનલ CNN સાથે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી થયેલી વાતચીત પ્રમાણે બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, હું અને વિલ્મોર અમારા બંનેની પૃથ્વી પર પરત આવવાની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. અમેરિકાના બિઝસનેસ મેન એલન મસ્કની સ્પેસ એક્સનું ડ્રેગન સ્પેસક્રાફ્ટ વર્ષ 2025ની 12મી માર્ચે પૃથ્વી પરથી રવાના થશે અને ત્યારબાદ એક સપ્તાહ એટલે કે 19મી માર્ચ તે એ જ ડ્રેગન સ્પેસક્રાફ્ટ દ્વારા અમે બંને પૃથ્વી પર સહી સલામત પરત ફરીશું. બોઈંગ સ્ટારલાઈનરમાં આવેલી ખામીના કારણે આઠ મહિના કરતા વધુ સમયથી બંને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અટવાયેલા છે .


બુચ વિલ્મોરે CNNને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, સ્પેસએક્સનું ક્રૂ-10 મિશન 12 માર્ચે પૃથ્વી પરથી લોન્ચ થશે અને છ મહિનાના મિશન માટે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) સાથે ડોક કરશે. હાલમાં સુનિતા વિલિયમ્સ અવકાશ પ્રયોગશાળાના કમાન્ડર છે અને તેમનું કામ નવા અવકાશ સ્ટેશન કમાન્ડરને સોંપવામાં આવશે. આ ટ્રાન્સફર એક અઠવાડિયાની અંદર થશે, ત્યારબાદ બંને અવકાશયાત્રીઓ ડ્રેગન અવકાશયાનમાં સવાર થશે જે તેમને પૃથ્વી પર પાછા લાવશે. તે 19 માર્ચે ડ્રેગન અવકાશયાનમાં પૃથ્વી પર પાછા ફરશે.



શું છે ડ્રેગન કેપ્સૂલ?

એલન મસ્કની કંપની SpaceX ની ડ્રેગન ક્રૂ કેપ્સૂલને બનાવ્યા પછી તેને 46 વાર અવકાશમાં લોન્ચ કરવામાં આવી ચુકી છે. ડ્રેગન ક્રૂ કેપ્સૂલ 42 વાર આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનની યાત્રા કરી ચુકી છે. તેમાં એક વખતમાં સાત અંતરિક્ષ યાત્રી બેસી શકે છે. દુનિયાનું આ પહેલું ખાનગી અંતરિક્ષ યાન છે, જે સતત અંતરિક્ષ સ્ટેશન પર એસ્ટ્રોનૉટ અને સામાન લઈને અવર-જવર કરે છે. સામાન્ય રીતે તેમાં બે થી ચાર અંતરિક્ષ યાત્રી બેસી શકે છે. ઈમરજન્સીમાં સાત યાત્રી બેસી શકે છે. 




સુનિતા વિલિયમ્સ ઘણા સમયથી અવકાશમાં હોવાથી તેમના માટે જમીન પર ઉતરવું એટલું સહેલું નહીં રહે. તેઓ આઠ મહિનાથી અવકાશમાં રહેતા હતા અને તેમના માટે હવે જમીન પર ખૂબ જ ફિઝિકલ ચેલેન્જ જોવા મળશે. સુનિતા વિલિયમ્સ કહે છે, ‘અમારા માટે ગ્રેવિટી સાથે એડજસ્ટ થવું થોડું મુશ્કેલ રહેશે. અમારા માટે એ રોજે-રોજની પ્રક્રિયા રહેશે જ્યાં અમારે આપણા શરીરના દરેક મસલ્સને ફરી કામ કરતાં કરવા પડશે.’



સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.