મુલાયમ સિંહ યાદવની તબિયત ફરી લથડી, મેદાંતાના ICU વોર્ડમાં દાખલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 17:21:07

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના 82 વર્ષીય નેતા મુલાયમ સિંહ યાદવની તબિયત ફરી એકવાર લથડી છે. મુલાયમ સિંહ યાદવને ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા છે અને ડોક્ટરો તેમની તબિયત પર સતત નજર રાખી રહ્યા છે. 


અખિલેશ યાદવ  દિલ્હી જવા રવાના


મુલાયમ સિંહના પુત્ર અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ પિતાની નદુરસ્ત તબિયતના સમાચાર મળતા જ તાત્કાલિક લખનઉથી દિલ્હી જવા રવાના થઈ ગયા છે. મુલાયમ સિંહ યાદવ અવારનાવર સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યાઓનો સામનો કરતા રહે છે. આ પહેલા પણ મુલાયમ સિંહ યાદવને પેશાબની નશમાં સંક્રમણ બાદ લખનઉ સ્થિત મેદાંતા હોસ્પિયલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ઘણા દિવસો સુધી તેમની સારવાર ચાલી હતી.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.