કોરોના કેસ વધતા અમદાવાદની શાળાઓ માટે જાહેર કરવામાં આવી SOP


  • Published By :
  • Published Date : 2022-12-26 17:17:41

દેશમાં કોરોના મહામારીએ ફરી માથું ઉચક્યું છે. કોરોના કેસને લઈ તંત્ર સતર્ક થઈ છે. કેન્દ્ર સરકારે અનેક ગાઈડલાઈન્સ બહાર પાડ્યા છે. અનેક દેશોએ નિયંત્રણો લગાવી દીધા છે. ત્યારે કોરોના સંક્રમણ વધતા અમદાવાદની તમામ શાળાઓમાં ફરજિયાત માસ્ક અને કોરોનાની એસઓપીનું પાલન કરવા સૂચના આપી દેવામાં આવી છે. આ ગાઈડલાઈન્સનું પાલન અમદાવાદની 32 હજાર પ્રાથમિક શાળાઓમાં થશે. 


પ્રાથમિક શાળાઓમાં થશે SOPનું પાલન 

કોરોના કેસને કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે. વધતા કોરોના કેસને લઈ તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે શાળામાં માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. અમદાવાદ ડીઈઓ દ્વારા સ્કૂલોને કડક સૂચના આપી દેવામાં આવી છે. સ્કૂલના તમામ વિદ્યાર્થીઓએ શાળામાં માસ્ક પહેરવો પડશે. બાળકો ટોળ ન વળે તેનું ધ્યાન રાખવા માટે પણ સૂચના આપી દેવામાં આવે છે.


નહીં થાય મોટા કાર્યક્રમનું આયોજન 

ઉપરાંત કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે પણ ધ્યાન રાખવા પર જોર આપવામાં આવ્યું છે. બેન્ચ પર માત્ર 2 વિદ્યાર્થીઓને જ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. શાળાઓ દ્વારાકોઈ પણ મોટા કાર્યક્રમોનું આયોજન ન કરવા સૂચના આપી દેવામાં આવી છે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.