કોંગ્રેસી નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાશેઃ ઈસુદાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 21:36:54

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે અનેક પક્ષોમાં અવનવા પરિવર્તન જોવા મળશે. નેતાઓના નિવેદનો ચૂંટણી નજીક આવતા તીખા થતા જઈ રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને ગુજરાતના રાજકારણમાં ભડકો કર્યો છે. 


કોંગ્રેસના નેતા આમ આદમી પાર્ટીમાં જોડાશે

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અનેક નેતાઓ ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે. 


ગુજરાતમાં ચૂંટણી પહેલા આયારામ ગયારામનો સમય નજીક આવી ગયો છે. ભાજપ અને કોંગ્રેસથી નારાજ નેતાઓ અને ભાજપની નો રિપીટ થિયરીના કારણે તક ન મળે તેવા નેતાઓ અને તકસાધુઓ આમ આદમી પાર્ટીનું ઝાડું પકડી રહ્યા છે ત્યારે ઈસુદાન ગઢવીનું ટ્વીટ આવી રહ્યું છે કે કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે. હવે કોણ જોડાશે તે જોવાનું રહેશે અને કોંગ્રેસના નેતાઓના આપમાં જોડાવાથી ગુજરાતના રાજકારણમાં કેટલો ફેરફાર થશે તે જોવાનું રહેશે. 



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.