ભારત જોડો યાત્રામાં સામેલ થયા સોનિયા ગાંધી, માતા અને પુત્ર ભેગા મળી કરી રહ્યા છે યાત્રાની આગેવાની


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 13:50:52

ભારત જોડો યાત્રા અંતર્ગત રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર પગપાળા જઈ રહ્યા છે. અનેક રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ રહી છે. હાલ આ યાત્રા કર્ણાટક ખાતે પહોંચી છે જ્યાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પણ આ યાત્રામાં સામેલ થયા છે. 

કર્ણાટકથી સોનિયા ગાંધી જોડાયા યાત્રામાં 

7 સપ્ટેમ્બરથી રાહુલ ગાંધી આ ભારત યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો. પોતાની યાત્રા દરમિયાન અનેક સ્થળો પર તેમણે લોકો સાથે સંવાદ કર્યો છે. ઉપરાંત અનેક મંદિરોમાં પણ તેમણે દર્શન કર્યા છે. હાલ આ યાત્રા કેરળ થઈ કર્ણાટક પહોંચી છે. કર્ણાટકથી આ યાત્રામાં સોનિયા ગાંધી પણ સામેલ થયા છે. ખરાબ તબિયત હોવાને કારણે જાહેરમાં આવવાનું ટાળે છે. ત્યારે કર્ણાટકથી થોડા સમય માટે પગપાળા ચાલવાના છે.

 

કર્ણાટકમાં યોજાવાની છે આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી  

કર્ણાટકથી સોનિયા ગાંધી ભારત જોડો યાત્રામાં જોડાતા, તેની સાથે જોડાયેલા અનેક રાજકીય સંકેતો રાજકીય નિષ્ણાંતો જોઈ રહ્યા છે. મહત્વનું છે કે આવતા વર્ષે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. યાત્રાનો આ પહેલો રૂટ છે જ્યાં ભાજપ શાસિત રાજ્યમાંથી પસાર થવાની છે. જ્યારે જ્યારે પણ કોંગ્રેસ પર સંકટ આવ્યું છે ત્યારે ત્યારે દક્ષિણ ભારતે કોંગ્રેસને સંકટમાંથી ઉગાર્યું છે. 

પ્રિયંકા ગાંધી પણ થઈ શકે છે યાત્રામાં સામેલ

સોનિયા ગાંધી આશરે 15 મિનીટ ચાલ્યા હતા. જે બાદ તેમણે વિશ્રામ લીધો હતો. કોરોનાથી તેઓ થોડા સમય પહેલા જ સ્વસ્થ થયા હતા. પોતાના ખરાબ સ્વાસ્થયને કારણે તેઓ જાહેર જીવનમાં દેખાતા નથી. ત્યારે કર્ણાટકથી તેઓ યાત્રામાં સામેલ થયા છે જેને રાજનીતિ સાથે સીધુ સીધુ જોડવામાં આવી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે પ્રિયંકા ગાંધી પણ થોડા દિવસોમાં આ યાત્રામાં સામેલ થઈ શકે છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.