વડાપ્રધાન મોદી પર સોનિયા ગાંધીનો હલ્લાબોલ! સોનિયા ગાંધીએ કહ્યું 'મૌનથી દેશની સમસ્યાઓ નહીં ઉકેલાય'


  • Published By :
  • Published Date : 2023-04-11 15:47:12

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદી વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. એક અંગ્રેજી પેપરમાં લખાયેલા આર્ટિકલમાં તેમણે પોતાની રાય રજૂ કરી છે. વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે દેશને ચુપ કરાવીને દેશની સમસ્યાઓને ઉકેલી નહીં શકાય. પીએમ મોદી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મૌન ધારણ કરે છે, તેમની સરકારના કામથી કરોડો લોકોના જીવનને અસર કરે છે, આ બાબતે અમારા જે પણ સવાલો છે તે અંગે પણ તેઓ મૌન છે. 


સોનિયા ગાંધીએ રજૂ કર્યા પોતાના વિચાર  

કેન્દ્ર સરકાર પર અનેક વખત કોંગ્રેસ દ્વારા કટાક્ષ કરવામાં આવતો હોય છે. અનેક વખત આકરા પ્રહારો કરાતા હોય છે. ત્યારે આ વખતે સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. એક અંગેજી પેપરના લેખમાં તેમણે પોતાની વાત રજૂ કરી હતી. 'जबरन चुप कराना भारत की समस्याओं को हल नहीं कर सकता'ના ટાઈટલ હેઠળ છપાયેલા આ લેખમાં સોનિયા ગાંધીએ પોતાના વિચાર રજૂ કર્યા હતા. 


વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સોનિયા ગાંધીએ સાધ્યું નિશાન 

આર્ટિકલમાં તેમણે કહ્યું કે ભારતના લોકોને હવે સમજાઈ ગયું કે વર્તમાન પરિસ્થિતિમાં પીએમ મોદીના કથન અને કાર્યોમાં મોટો તફાવત છે. તેમણે લખ્યું કે પીએમ મોદીની આગેવાની વાળી સરકારે દેશના લોકતંત્રના ત્રણેય સ્તંભો એટલે કે ન્યાયતંત્ર, કાર્યપાલિકા અને વિધાનમંડળને ખતમ કરી નાખ્યું છે. ઉપરાંત સોનિયા ગાંધી સંસદની કાર્યવાહી અને રાહુલ ગાંધીની સાંસદ સદસ્યતા રદ્દ થવા પર પણ વાત કરી હતી. 


સંસદની કાર્યવાહી પર પણ બોલ્યા સોનિયા ગાંધી 

સંસદમાં હોબાળાને કારણે અનેક વખત કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. સંસદમાં કરવામાં આવેલી કાર્યવાહીને લઈ તેમણે કહ્યું કે હાલમાં સંસદની કાર્યવાહી જુઓ. અમે જોયું છે કે કેવી રીતે સરકારે વ્યવસ્થિત રીતે સંસદનું વિસર્જન કર્યું અને વિપક્ષને એવા મુદ્દા ઉઠાવતા અટકાવ્યા જે આ દેશના લોકો માટે અત્યંત મહત્વના હતા. આ મુદ્દાઓમાં બેરોજગારી, મોંઘવારી, સામાજિક વિભાજન, અદાણી કૌભાંડને લગતા સવાલો પર ચર્ચાનો સમાવેશ થાય છે. 


સરકારી એજન્સીઓના થતા દુરૂપયોગ અંગે પણ સોનિયાએ કરી વાત   

સરકારી એજન્સીઓ દ્વારા અનેક નેતા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરકાર પર અનેક પાર્ટીઓ દ્વારા સરકારી એજન્સીઓનો દુરૂપયોગ કરવાના આરોપ લગાવવામાં આવતા હોય છે. ત્યારે આ વાત પર પણ સોનિયા ગાંધીએ પોતાના વિચાર રજૂ કર્યા હતા. નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સીબીઆઈ અને ઈડીનો દુરૂપયોગ બધા જાણે છે, 95 ટકાથી વધુ રાજકીય કેસો માત્ર વિપક્ષની પાર્ટી સામે જ નોંધાયા છે. અને જે ઓ ભાજપમાં જોડાય છે તેમની સામેના કેસો ચમત્કારિક રીતે ગુમ થઈ જાય છે.      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.