સોનિયા ગાંધી બની શકે છે રાજ્યસભા સાંસદ, કોંગ્રેસના આ નેતાઓનું નામ પણ ફાઈનલ


  • Published By :
  • Published Date : 2024-02-13 17:31:14

કોંગ્રેસના અગ્રણી નેતાઓએ લોકસભા ચૂંટણી માટે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાના સાથી પક્ષો સાથે સીટોની વહેંચણી અને રાજ્યસભા ચૂંટણી માટે સંભવિત ઉમેદવારોના નામ પર સોમવારે ચર્ચા કરી હતી. સુત્રોનું કહેવું છે કે કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધી અને ખજાનચી અજય માકનનું નામ સૌથી ટોચ પર છે. પાર્ટી સુત્રોનું કહેવું છે કે રાજસ્થાન કે હિમાચલ પ્રદેશથી ઉમેદવાર બનાવવામાં આવે તેવી સંભાવના છે. સંખ્યાની દ્રષ્ટીએ બંને રાજ્યોમાંથી કોંગ્રેસને રાજ્ય સભાની એક-એક સીટ મળશે. જ્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણી 2024માં ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.


સોનિયા ગાંધી પહેલી વખતે જશે રાજ્યસભામાં

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીને રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવવામાં આવે છે તો તેમના સંસદીય કાર્યકાળમાં પહેલી વખત હશે કે તે ઉપલા ગૃહ (રાજ્ય સભા)માં જશે. સોનિયા ગાંધી વર્ષ 1999થી લોકસભાના સાંસદ રહ્યા છે. કોંગ્રેસે 15 રાજ્યોની 56 સીટ માટે યોજાનારી રાજ્યસભા ચૂંટણી માટે હજુ સુધી ઉમેદવારોની જાહેરાત કરી નથી. નામાંકન પત્ર દાખલ કરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે, અને 27 ફેબ્રુઆરીએ પરિણાણ જાહેર થશે. 


આ નેતાઓને પણ મળશે તક

સુત્રોના જણાવ્યા પ્રમાણે પાર્ટીના ખજાનચી અજય માકનને રાજ્યસભામાં જવાની તક મળી શકે છે. અજય માકનની સાથે રાજ્યસભાના સભ્ય નાસિર હુસૈનને પણ ફરીથી ઉમેદવાર બનાવી શકાય છે. 



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.