સોનિયા ગાંધી બની શકે છે રાજ્યસભા સાંસદ, કોંગ્રેસના આ નેતાઓનું નામ પણ ફાઈનલ


  • Published By :
  • Published Date : 2024-02-13 17:31:14

કોંગ્રેસના અગ્રણી નેતાઓએ લોકસભા ચૂંટણી માટે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાના સાથી પક્ષો સાથે સીટોની વહેંચણી અને રાજ્યસભા ચૂંટણી માટે સંભવિત ઉમેદવારોના નામ પર સોમવારે ચર્ચા કરી હતી. સુત્રોનું કહેવું છે કે કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધી અને ખજાનચી અજય માકનનું નામ સૌથી ટોચ પર છે. પાર્ટી સુત્રોનું કહેવું છે કે રાજસ્થાન કે હિમાચલ પ્રદેશથી ઉમેદવાર બનાવવામાં આવે તેવી સંભાવના છે. સંખ્યાની દ્રષ્ટીએ બંને રાજ્યોમાંથી કોંગ્રેસને રાજ્ય સભાની એક-એક સીટ મળશે. જ્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણી 2024માં ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.


સોનિયા ગાંધી પહેલી વખતે જશે રાજ્યસભામાં

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીને રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવવામાં આવે છે તો તેમના સંસદીય કાર્યકાળમાં પહેલી વખત હશે કે તે ઉપલા ગૃહ (રાજ્ય સભા)માં જશે. સોનિયા ગાંધી વર્ષ 1999થી લોકસભાના સાંસદ રહ્યા છે. કોંગ્રેસે 15 રાજ્યોની 56 સીટ માટે યોજાનારી રાજ્યસભા ચૂંટણી માટે હજુ સુધી ઉમેદવારોની જાહેરાત કરી નથી. નામાંકન પત્ર દાખલ કરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે, અને 27 ફેબ્રુઆરીએ પરિણાણ જાહેર થશે. 


આ નેતાઓને પણ મળશે તક

સુત્રોના જણાવ્યા પ્રમાણે પાર્ટીના ખજાનચી અજય માકનને રાજ્યસભામાં જવાની તક મળી શકે છે. અજય માકનની સાથે રાજ્યસભાના સભ્ય નાસિર હુસૈનને પણ ફરીથી ઉમેદવાર બનાવી શકાય છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે