રાજકોટમાં સોની પરિવારે કર્યો સામૂહિક આપઘાતનો પ્રયાસ, દેવામાં ડૂબી જવાથી 8 સભ્યોએ લીધો જીવન ટૂંકાવવાનો નિર્ણય!


  • Published By :
  • Published Date : 2024-09-21 17:10:54

આપઘાત કરવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.. અનેક લોકો આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવતા હોય છે.. અનેક કિસ્સાઓમાં આખો પરિવાર આપઘાત કરવાનો પ્રયત્ન કરે છે.. આવો જ એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે જેમાં પરિવારના 8થી 9 જેટલા સભ્યોએ ઝેરી દવા પી જીવન ટૂંકાવાનો પ્રયત્ન કર્યો છે. મળતી માહિતી અનુસાર શહેરના ગુંદવાડી વિસ્તારમાં રહેતા સોની પરિવારે આપઘાત કરવાનું પગલું ભર્યું છે.. શરબતમાં ઝેરી દવા ઉમેરી પરિવારજનોએ આપઘાતનો પ્રયત્ન કર્યો છે. તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.. વેપારમાં કરોડોનું નુકસાન થયું હોવાને કારણે આ પગલું લેવામાં આવ્યું હોઈ શકે છે.. 


8 વ્યક્તિઓએ સામુહિક રીતે કર્યો આપઘાત કરવાનો પ્રયાસ

વેપાર સારો ચાલતો હોય અને અચાનક તમે દેવાદાર બની જાવ તો શું હાલત થાય? વેપારી કરોડોનું તમારૂં પેમેન્ટ ના કરે અને તમારી પાસે બીજો કોઈ રસ્તો ના હોય તો શું કરશો? મોટા ભાગના લોકો આપઘાત કરવાનું પગલું ભરે.. ત્યારે રાજકોટથી હચમચાવી નાખે તેવા સમાચાર સામે આવ્યા છે.. દેવામાં ડૂબેલા પરિવારે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો... એક કે બે વ્યક્તિઓએ નહીં પરંતુ 8થી 9 સભ્યોએ... સામૂહિક આપઘાતથી રાજકોટમાં ચર્ચાનો વિષય બન્યો છે..


આપઘાત પાછળ આ કારણ હોઈ શકે છે જવાબદાર

આ અંગે મળતી માહિતી અનુસાર આ સોની પરિવાર સોનાના દાગીના બનાવાનું કામ કરે છે.. મુંબઈના વેપારીઓએ તેમને ઓર્ડર આપ્યો, ઓર્ડર પ્રમાણે દાગીના બનાવી પણ આપ્યા પરંતુ અનેક મહિનાઓ વીતિ ગયા છતાંય વેપારીઓને ત્યાંથી અંદાજીત પોણા ત્રણ કરોડનું પેમેન્ટ ના આવ્યું.. ઉપરાંત લોન પણ લીધી હતી જેને કારણે બેંકવાળા પણ આ પરિવારને હેરાન કરતા હતા..  જેને કારણે પરિવારે જીવવા કરતા આપઘાત કરવાનું પસંદ કર્યું... 



કોણે કોણે કર્યો આપઘાત કરવાનો પ્રયાસ?

જે લોકોએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો તે સભ્યોના નામ - લલિત આડેસરા (ઉંમર 72), મીનાબેન આડેસરા (ઉંમર - 64) , ચેતનભાઈ આડેસરા (ઉંમર 45), દિવ્યાબેન આડેસરા  (ઉંમર 43), જય આડેસરા  (ઉંમર 21), વિશાલ લલિતભાઈ આડેસરા  (ઉંમર 43), સંગીતા આડેસરા (ઉંમર 41) તેમજ 15 વર્ષના બાળકનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી દીધા છે અને તેમની સારવાર ચાલી રહી છે.. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં આવી પહોંચ્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.