થ્રી ઈડિયટસ ફિલ્મથી જાણીતા સોનમ વાંગચુકે -40 ડિગ્રીમાં ભૂખ હડતાળની કરી જાહેરાત, જાણો શા માટે?


  • Published By :
  • Published Date : 2023-01-23 20:01:59

લદ્દાખના જાણીતા શિક્ષણકાર, સમાજ સુધારક અને જેમના જીવન પર ફિલ્મ થ્રી ઈડિયટ બની હતી તે સોનમ વાંગચુક લદ્દાખમાં ક્લાઈમેટ ચેન્જના મુદ્દે પાંચ દિવસના ઉપવાસ પર ઉતરશે. તેમણે વડાપ્રધાન મોદીને લદ્દાખના ગ્લેશિયર બચાવવા માટે અપીલ કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે, અહીં લગભગ બે તૃતીયાંશ ગ્લેશિયર લુપ્ત થવાને આરે છે. 


સોનમ વાંગચુકે ઉપવાસનું હથિયાર ઉગામ્યું


સોનમ વાંગચુકે એક વીડિયો જાહેર કરી -40 ડિગ્રી ટેમ્પરેચરવાળા ખાર્દુંગલામાં 26 જાન્યુઆરીથી પાંચ દિવસ સુધી ભૂખ હડતાળ કરવાની પણ ઘોષણા કરી હતી. લદ્દાખની પર્યાવરણ સહિતની વિવિધ સમસ્ચાઓના મુદ્દે PMનું ધ્યાન આકર્ષવા માટે તેમણે ઉપવાસનું આ હથિયાર ઉગામ્યું છે.  સોનમે આ ઉપવાસને ક્લાઈમેટ ફાસ્ટ ગણાવ્યું છે. આ વીડિયોમાં તેમણે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને લદ્દાખ અંગે હાઈ લેવલ પર એક્શન લેવાની માગ કરી છે. તેમણે કહ્યું- પીએમ મોદીને મારી અપીલ છે કે, લદ્દાખ અને અન્ય હિમાલયન પ્રદેશોને ઓદ્યોગિક શોષણથી બચાવે કેમ કે, એ લદ્દાખના લોકોના જીવન પર અસર કરશે. તે ઉપરાંત વીડિયો તેમણે લદ્દાખની જનજાતિઓ, ઉદ્યોગો અને ગ્લેશિયરની સહિતની વિવિધ સમસ્યાઓ અંગે વાત કરી હતી. 


ગ્લેશિયર વિલુપ્ત થઈ જશે- સોનમ વાંગચુક


સોનમ વાંગચુકે વીડિયોના માધ્યમથી સરકારને વિનંતી કરતા કહ્યું કે, લદ્દાખમાં બેદરકારી ચાલુ રહી, લદ્દાખને ઉદ્યોગોથી સુરક્ષા ન અપાઈ, તો અહીંના ગ્લેશિયર વિલુપ્ત થઈ જશે. કેમ કે ઉદ્યોગના કારણે અહીં પાણીની કમી ઉદ્ભવશે. લદ્દાખના લોકો પાંચ લિટર પ્રતિ દિવસ પ્રમાણે પાણીનો ઉપયોગ કરે છે. જો અહીં સેંકડો ઉદ્યોગ ઊભા થયા, માઈનિંગ થયું તો ધૂળ અને ધુમાડાથી ગ્લેશિયર ખતમ થઈ જશે. તેમણે પોતાના અંગે કહ્યું કે જો -40 ડિગ્રી ટેમ્પરેચરમાં હું જીવતો રહીશ તો લોકોને મળીશ. તે ઉપરાંત તેમણે કહ્યું કે  કાશ્મીર યુનિવર્સિટી અને અન્ય રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના તાજેતરના રિપોર્ટથી જાણવા મળ્યું છે કે, જો લદ્દાખ પર ધ્યાન આપવામાં ન આવ્યું તો લેહ-લદ્દાખમાં બે તૃતીયાંશ ગ્લેશિયર સમાપ્ત થઈ જશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.