થ્રી ઈડિયટસ ફિલ્મથી જાણીતા સોનમ વાંગચુકે -40 ડિગ્રીમાં ભૂખ હડતાળની કરી જાહેરાત, જાણો શા માટે?


  • Published By :
  • Published Date : 2023-01-23 20:01:59

લદ્દાખના જાણીતા શિક્ષણકાર, સમાજ સુધારક અને જેમના જીવન પર ફિલ્મ થ્રી ઈડિયટ બની હતી તે સોનમ વાંગચુક લદ્દાખમાં ક્લાઈમેટ ચેન્જના મુદ્દે પાંચ દિવસના ઉપવાસ પર ઉતરશે. તેમણે વડાપ્રધાન મોદીને લદ્દાખના ગ્લેશિયર બચાવવા માટે અપીલ કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે, અહીં લગભગ બે તૃતીયાંશ ગ્લેશિયર લુપ્ત થવાને આરે છે. 


સોનમ વાંગચુકે ઉપવાસનું હથિયાર ઉગામ્યું


સોનમ વાંગચુકે એક વીડિયો જાહેર કરી -40 ડિગ્રી ટેમ્પરેચરવાળા ખાર્દુંગલામાં 26 જાન્યુઆરીથી પાંચ દિવસ સુધી ભૂખ હડતાળ કરવાની પણ ઘોષણા કરી હતી. લદ્દાખની પર્યાવરણ સહિતની વિવિધ સમસ્ચાઓના મુદ્દે PMનું ધ્યાન આકર્ષવા માટે તેમણે ઉપવાસનું આ હથિયાર ઉગામ્યું છે.  સોનમે આ ઉપવાસને ક્લાઈમેટ ફાસ્ટ ગણાવ્યું છે. આ વીડિયોમાં તેમણે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને લદ્દાખ અંગે હાઈ લેવલ પર એક્શન લેવાની માગ કરી છે. તેમણે કહ્યું- પીએમ મોદીને મારી અપીલ છે કે, લદ્દાખ અને અન્ય હિમાલયન પ્રદેશોને ઓદ્યોગિક શોષણથી બચાવે કેમ કે, એ લદ્દાખના લોકોના જીવન પર અસર કરશે. તે ઉપરાંત વીડિયો તેમણે લદ્દાખની જનજાતિઓ, ઉદ્યોગો અને ગ્લેશિયરની સહિતની વિવિધ સમસ્યાઓ અંગે વાત કરી હતી. 


ગ્લેશિયર વિલુપ્ત થઈ જશે- સોનમ વાંગચુક


સોનમ વાંગચુકે વીડિયોના માધ્યમથી સરકારને વિનંતી કરતા કહ્યું કે, લદ્દાખમાં બેદરકારી ચાલુ રહી, લદ્દાખને ઉદ્યોગોથી સુરક્ષા ન અપાઈ, તો અહીંના ગ્લેશિયર વિલુપ્ત થઈ જશે. કેમ કે ઉદ્યોગના કારણે અહીં પાણીની કમી ઉદ્ભવશે. લદ્દાખના લોકો પાંચ લિટર પ્રતિ દિવસ પ્રમાણે પાણીનો ઉપયોગ કરે છે. જો અહીં સેંકડો ઉદ્યોગ ઊભા થયા, માઈનિંગ થયું તો ધૂળ અને ધુમાડાથી ગ્લેશિયર ખતમ થઈ જશે. તેમણે પોતાના અંગે કહ્યું કે જો -40 ડિગ્રી ટેમ્પરેચરમાં હું જીવતો રહીશ તો લોકોને મળીશ. તે ઉપરાંત તેમણે કહ્યું કે  કાશ્મીર યુનિવર્સિટી અને અન્ય રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના તાજેતરના રિપોર્ટથી જાણવા મળ્યું છે કે, જો લદ્દાખ પર ધ્યાન આપવામાં ન આવ્યું તો લેહ-લદ્દાખમાં બે તૃતીયાંશ ગ્લેશિયર સમાપ્ત થઈ જશે.



લોકસભાની ચૂંટણી પછી સૌથી પહેલો સવાલ હતો કે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે? આ સવાલનો જવાબ આજે અથવા તો કાલે મળી જશે કારણ કે 4-5મી જુલાઈએ એટલે આજે અને આવતી કાલે ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક સાળંગપુરમાં મળવાની છે. આ બેઠકમાં નવા અધ્યક્ષના નામ પર મોહર લાગી શકે છે..

ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી એટલો વિકાસ થયો કે છેક રોડ રસ્તામાં બસ આખી ખાડામાં સમાય શકે છે... મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ગુજરાતમાં કરી અને સ્માર્ટસિટીના દાવા એ જ વરસાદી પાણીમાં ધોવાય ગયા

બ્રિટનમાં સામાન્ય ચૂંટણી માટે ગુરુવારે મતદાન યોજાવાનું છે. બ્રિટનમાં 14 વર્ષથી સત્તા પર રહેલી કન્ઝર્વેટિવ પાર્ટી અને પીએમ ઋષિ સુનક માટે આ ચૂંટણી એક અગ્નિપરીક્ષા સમાન છે. કારણ કે મોટા ભાગના સરવેમાં પાર્ટીની કારમી હારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ, વિપક્ષી લેબર પાર્ટી 2010 પછી સત્તામાં વાપસી કરે તેવી સંભાવનાઓ રહેલી છે.

મહાભારતનું યુદ્ધ ચાલતું હોય અને રણમેદાનમાંથી ભગવાન શ્રી કૃષ્ણ ગીતાનો ઉપદેશ્ય આપે.. કાલિદાસજીના ભોજ પત્રોને ફેંદીએ તો તેમાંથી કવિતા નીકળે.. જનક રાજા હળ ચલાવે તો જમીનમાંથી સીતાજી મળે..