સોનાલી ફોગાટને સેક્સ ઉત્તેજના કે મારવા માટે આપવામાં આવ્યું હતું મેથામ્ફેટામાઈન?, જાણો કેટલું છે ખતરનાક?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-28 12:55:39

ભારતીય જનતા પાર્ટી (BJP)ની નેતા સોનાલી ફોગાટના મોત મામલે વધુ એક ખુલાસો સામે આવ્યો છે. આરોપીઓએ સોનાલીને ગોવાની કર્લીઝ રેસ્ટોરન્ટમાં મેથામ્ફેટામાઈન નામનું ડ્રગ આપ્યું હતું. અંજુના પોલીસે કર્લીઝ રેસ્ટોરન્ટના વોશરૂમમાંથી ડ્રગ્સ કબજે કર્યું હતું. આ ડ્રગ્સની તપાસ બાદ તે મેથામ્ફેટામાઈન હોવાનું બહાર આવ્યું છે. પોલીસે સોનાલી ફોગાટના અંગત સહાયક સુધીર સાંગવાન, અન્ય સહયોગી સુખવિંદર સિંહ, રેસ્ટોરન્ટના માલિક એડવિન ન્યૂન્સ અને કથિત ડ્રગ સ્મગલર દત્તા પ્રસાદ ગાંવકરની ધરપકડ કરી છે. સુખવિંદર અને સુધીર સાંગવાન સામે હત્યાની કલમો હેઠળ જ્યારે ગાંવકર અને ન્યૂન્સ સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.


પોલીસના જણાવ્યા પ્રમાણે તપાસમાં જાણવા મળ્યું છે કે દત્તા પ્રસાદ ગાંવકરે કથિત રીતે સુખવિંદર સિંહ અને સુધીર સાંગવાનને માદક દ્રવ્ય પહોચાડ્યું હતું. ગાંવકર તે અંજુના હોટેલનો કર્મચારી છે જ્યાં ફોગાટ રોકાઈ હતી. બંને આરોપીઓએ તેમના નિવેદનમાં શંકાસ્પદ પાસેથી ડ્રગ્સ ખરીદ્યાનું કબૂલ્યું હતું, ત્યારબાદ શંકાસ્પદ ડ્રગ સ્મગલર દત્તાપ્રસાદ ગાંવકરને અંજુનાથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.


મેથામ્ફેટામાઇન ડ્ર્ગ્સ શું છે?


નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓન ડ્રગ એબ્યુઝ (NIDA) અનુસાર, મેથામ્ફેટામાઇન ખૂબ જ ખતરનાક અને શક્તિશાળી ડ્રગ્સ છે. જો કોઈ તેનું સેવન કરે છે, તો તે ખૂબ જ ઝડપથી વ્યસની બની જાય છે. આનું કારણ એ છે કે મેથામ્ફેટામાઇન ડ્રગ તેનું સેવન કરનારાની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર સીધી અસર કરે છે.


મેથામ્ફેટામાઇનની અસરો?

-મેથામ્ફેટામાઇન મૂડને સુધારી શકે છે, થુબ જ થાકેલી વ્યક્તિઓમાં સતર્કતા, એકાગ્રતા અને ઊર્જા વધારી શકે છે.

- ભૂખ ઓછી લાગે છે અને વજન પણ ઘટે છે.

- શરીરમાં ઉત્તેજક મનોવિકૃતિ (દા.ત., પેરાનોઇયા, મતિભ્રમ અને ચિત્તભ્રમણા) ને ઉત્તેજિત કરે છે અને હિંસક વર્તનને તીવ્ર બનાવે છે.

- જાતીય ઉત્તેજના વધારે છે. તેના માટે એવું પણ કહેવામાં આવે છે કે જો કોઈ ઘણા દિવસો સુધી તેનું સેવન કરે તો વૃદ્ધાવસ્થામાં પણ સેક્સ માટે તેની ઉત્તેજના વધી જાય છે.



માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.

આપણી આસપાસ એવા લોકો હશે જે ખાવાની કદર નહીં કરતા હોય... અન્નો અનાદર કરતા હોય.. થાળીમાં પીરસાતા ભોજનનો તીરસ્કાર કરતા હોય છે, અથવા તો એંઠું મૂકી દેતા હોય છે, પરંતુ આ સમયે તે નથી વિચારતા કે અન્નને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હશે અને કેટલી મહેનત લાગી હશે..

વિધાનસભામાં પણ શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠ્યો છે.. અનેક વખત અલગ અલગ રીતથી ઉમેદવારો સરકાર સુધી પોતાની વાત મૂકવાનો પ્રયત્ન કરે છે ત્યારે ફરી એક વખત ઉમેદવારો પોતાની માગ સાથે પહોંચ્યા છે પરંતુ સરકાર સમક્ષ નહીં પરંતુ ગણપતિ દાદા સમક્ષ....

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગાડીઓ હવામાં ઉડી રહી હોય તેવું લાગે.. હાલમાં જ અલવરમાં દિલ્હી-વડોદરા એક્સપ્રેસ-વેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં જોવા મળ્યું હતું કે રસ્તામાં ખામીને કારણે પૂરપાટ ઝડપે ચાલતી કાર હવામાં ઊછળી રહી છે.