અમદાવાદમાં નિવૃત્ત IASના દીકરાએ કર્યો એએમસીના અધિકારી પર હુમલો, પોલીસે કરી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-02-24 17:25:57

અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં એએમસીના અધિકારી પર હુમલો થવાની ઘટના સામે આવી છે. અધિકારી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો મામલો બન્યો છે. ટેક્સ મુદ્દે એકમ સીલ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન એક નિવૃત્ત આઈએએસ અધિકારીના પુત્રએ થલતેજ વોર્ડમાં એન્જિનિયર પર હુમલો કર્યો છે. તે સિવાય મહિલા કર્મચારી સાથે ગેરવર્તન પણ કર્યું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.     

       

સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે  

અમદાવાદમાં નિવૃત આઈએએસ અધિકારીના પુત્રની દાદાગીરી સામે આવી છે. શહેરમાં તંત્ર દ્વારા સીલિંગની મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશનની ટીમ ટેક્સ વસૂલાત માટે રાજપથ કલબ પાછળ પહોંચી હતી ત્યારે એએમસીની કલેક્શન ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો તેવી માહિતી પ્રાપ્ત થઈ હતી. આ હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જે વ્યક્તિએ હુમલો કર્યો તે નિવૃત્ત આઈએએસ અધિકારીનો દીકરો હતો.  


ફરિયાદ મળતા પોલીસે કરી કાર્યવાહી 

વીડિયોમાં દેખાય છે કે એક વ્યક્તિ ઘરની બહાર આવે છે અને પછી અચાનક એએમસીના અધિકારી પર ચપ્પા વડે હુમલો કરે છે. હુમલો થયા બાદ આ ઘટનાની જાણ ટીમ દ્વારા બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવે છે. હુમલાખોર વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવે છે. એએમસી  અધિકારી પર હુમલો કરનારનું નામ આશીષ ત્રિપાઠી છે. તેઓ આર.કે ત્રિપાઠીના પુત્ર છે. મળતી માહિતી અનુસાર પોલીસે કાર્યવાહી પણ કરી છે અને હુમલાખોરની અટકાયત પણ કરી દેવામાં આવી છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.