82 વર્ષીય સોમાભાઈ પટેલે ચોટીલા સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-11-08 21:12:14

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રંગ જામી રહ્યો છે. રાજ્યમાં ટિકિટ માટે પક્ષપલટો કરતા નેતાઓની યાદી લાંબી થઈ રહી છે. ભાજપના એક સમયના અગ્રણી નેતા અને પક્ષપલટો કરી કોંગ્રેસમાં જોડાયેલા જાણીતા કોળી નેતા સોમાભાઈ પટેલ ફરીથી સક્રિય થયા છે. સુરેન્દ્રનગરના આ પૂર્વ સાંસદ સોમા ગાડાએ 82 વર્ષે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.


સોમા ગાંડા ચોટીલા સીટ પરથી લડશે ચૂંટણી

અગ્રણી કોળી નેતા અને લીંબડીના પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ ગાંડાભાઈ પટેલની ચોટીલામાં એન્ટ્રી થઇ છે. સોમાભાઈએ ચોટીલા પ્રાંત કચેરીએ આવી ફોર્મ લેવા આવતા રાજકારણ ગરમાયું છે. સોમાભાઈએ ચોટીલાથી ચૂંટણી લડવાનું જણાવવાની સાથે અપક્ષમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. પૂર્વ સાંસદે પુરા આત્મવિશ્વાસથી કહ્યું હતું કે, "હું ચોટીલાથી અપક્ષમાં ચૂંટણી લડવાનો છું અને જીતવાનો પણ છું."


ચોટીલામાં ખરાખરીનો ચૂંટણી જંગ જામશે

સોમાભાઈ પટેલે ચોટીલા વિધાનસભા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરવાની જાહેરાત કરતા જીત માટે ખરાખરીનો જંગ જોવા મળશે. ચોટીલાથી બેઠક માટે કૉંગ્રેસ પોતાના સીટિંગ ધારાસભ્ય ઋત્વિક મકવાણાને રિપીટ કરે તેવી શક્યતા છે. આમ આદમી પાર્ટીએ અહીં રાજુ કરપડાને ટિકિટ આપી છે. ભાજપના ઉમેદવારની જાહેરાત બાકી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.