Heart Attackને કારણે એક જ દિવસમાં થયા આટલા લોકોના મોત! જાણો ક્યાંથી આવ્યા બનાવ?


  • Published By :
  • Published Date : 2023-10-19 16:54:45

કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ઘણા સમયથી યુવાનોમાં હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે. 24 કલાકમાં 6 લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય તેવી માહિતી સામે આવી છે. કોઈને ચાલુ બાઈકે હાર્ટ એટેક આવ્યો છે તો કોઈને ખેતરમાં કામ કરતી વખતે આવે છે. પહેલા એવો સમય હતો જ્યારે માનવામાં આવતું હતું મોટી ઉંમરના લોકોને હાર્ટ એટેક આવે છે પરંતુ કોરોના બાદ તો પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. યુવાનો તેમજ શાળામાં ભણતા વિદ્યાર્થીના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે જે એક ચિંતાનો વિષય છે. 


એક જ દિવસમાં થયા અનેક લોકોના મોત!

આપણે ત્યાં મૃત્યુને અંતિમ સત્ય માનવામાં આવે છે. આપણે ત્યાં એમ કહેવાય છે કે જે આવ્યું છે તેનું જવું પણ નિશ્ચિત છે પરંતુ કોઈ ક્યારે અને કેવી રીતે જશે તેની જાણ કોઈને નથી હોતી. મોત ગમે ત્યારે આવી જાય છે. ત્યારે કોરોના બાદ યુવાનોમાં હૃદય હુમલાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અનેક દિવસોથી આવા સમાચાર સતત આવી રહ્યા છે જેમાં આશાવાદી યુવાનો મોતને ભેટી રહ્યા છે. દિવસ દરમિયાન એકાદ સમાચાર તો આવ્યા હોય જેમાં મોત હાર્ટ એટેકને કારણે થયા હોય. અનેકો કિસ્સા આપણી સામે છે જેમાં મોત હાર્ટ એટેકને કારણે થયા છે. 


દ્વારકામાં બે યુવાનોએ હૃદય હુમલાને કારણે ગુમાવ્યો જીવ! 

યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક છે. અનેક ચુવાનો હાર્ટ એટેકનો શિકાર બન્યા છે ત્યારે આજે વધુ 6 જેટલા લોકો રાજ્યમાં હાર્ટ એટેકના શિકાર બન્યા છે. બે મોત દ્વારકામાં થયા હોય તેવી માહિતી સામે આવી રહી છે. એક જ દિવસમાં બે ખેડૂતોના મોત થયા છે હાર્ટ એટેકને કારણે. દ્વારકા જિલ્લાના ઠાકર શેરડી ગામમાં ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે તેવી આશંકા તેમના પરિવારજનોને છે. જ્યારે અન્ય એક કિસ્સો ખંભાળિયાના શક્તિનગરમાં બન્યો છે. યુવક ખેતી કામ કરી રહ્યો હતો તે વખતે તે અચાનક ઢળી પડ્યો અને મોતને ભેટ્યો. પરિવારજનના અચાનક મૃત્યુથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.  


જામનગરથી પણ હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો!

તે સિવાય અમરેલીમાં રહેતા એક યુવાને પણ પોતાનો જીવ હાર્ટ એટેકને કારણે ગુમાવ્યો છે. નવરાત્રી નિમિત્તે રાખવામાં આવેલા કાર્યક્રમમાં તે અચાનક બેભાન થઈ ગયો. તે સિવાય હાર્ટ એટેકના સમાચાર જામનગરથી પણ સામે આવ્યા છે. જામનગરના સેના નગરમાં રહેતો યુવક તાવ તેમજ શરદીની દવા લેવા હોસ્પિટલ જતો હતો.  તેને છાતીમાં દુખાવો ઉપડ્યો અને તેનું મોત થઈ ગયું.


રિક્ષા ચાલકને અચાનક આવ્યો હાર્ટ એટેક!

તે ઉપરાંત બાબરા-અમરેલી હાઈવે પર રિક્ષા ચલાવી રહેલા ચાલકને અચાનક હૃદય હુમલો ઉપડ્યો અને તેમનું મોત રિક્ષામાં જ થઈ ગયું તેવા સમાચાર સામે આવ્યા છે. તે સિવાય હાર્ટ એટેકના કિસ્સાઓ રાજકોટ, સાબરકાંઠા, મહેસાાણાથી પણ સામે આવ્યા છે.


વિદ્યાર્થીઓ પણ બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર

મહત્વનું છે કે નાની ઉંમરના લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. આજકાલની લાઈફસ્ટાઈલ તેમજ ખાણીપીણીને કારણે, અનિયમિત ઉંઘને કારણે, કસરત ન કરવાને કારણે સહિતના અનેક કારણો હોઈ શકે છે જેને કારણે લોકો શિકાર બની રહ્યા છે હાર્ટ એટેકના. તે સિવાય વધારે સ્ટ્રેસ લેવાને કારણે પણ યુવાનોમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. શાળામાં ભણતા બાળકોના મોત પણ હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. બાળકોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી રાજકોટ ડીઈઓએ મૌખિકમાં સૂચના આપી છે કે વિદ્યાર્થીઓ પાસે વધારે શારીરિક શ્રમ ન કરાવો. કોરોના બાદ વધતા હાર્ટ એટેકના કિસ્સાઓએ ચિંતાનો વિષય બન્યો છે. 




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!